________________
પત્રાંક-૫૫૮
૧૭૩ માહ સુદ એકમ બીજ પર વખતે નીકળાય.” “મુંબઈથી. અને “વવાણિયા' આવવાનો પ્રસંગ છે એમને. “તોપણ ત્રણ દિવસ રસ્તામાં થાય તેમ છે, પણ માહ સુદ બીજ પર નીકળાય તેવો સંભવ નથી. સુદ પાંચમ પર નીકળાય તેવો સંભવ છે. વચ્ચે ત્રણ દિવસ થવાના છે, તે ન ચાલતાં રોકાવાનું કારણ છે. ત્રણ દિવસ વચ્ચે કાંઈક કોઈ કારણસર વિચાર્યું છે. નચાલતાં રોકાવાનું કારણ છે. ઘણું કરી સુદ પામે નિવૃત્ત થઈ...” મુંબઈથી. “સુદ ૮ મે વવાણિયે પહોંચી શકાય તેમ છે; એટલે બાહ્ય કારણ જોતાં લીમડી આવવાનું ન બની શકે તેવું છે; તોપણ કદાપિ એક દિવસ વળતા અવકાશ મેળવ્યો હોય તો મળી શકે, પણ આંતરકારણ જુદું હોવાથી તેમ કરવાનું હાલ કોઈ પણ પ્રકારે ચિત્તમાં આવતું નથી.' આંતર કારણ એટલે વૃત્તિ નથી. કોઈ મુમુક્ષુઓને મળવાની ઇચ્છા નથી.
વઢવાણ સ્ટેશને કેશવલાલની કે તમારી મને મળવાની ઇચ્છા હોય તે અટકાવતાં મન અસંતોષ પામે છે. એમણે લખ્યું હશે કે અમારે મળવું છે અને તમે કહો ત્યાં અને તમે કહો ત્યારે આવીએ, પણ મળવું છે. એટલે એમ લખ્યું છે કે તમે વઢવાણ સ્ટેશન ઉપર મળવા આવો. “વઢવાણ કૅપ કહેવાતું. “સુરેન્દ્રનગર' પછી નામ પડ્યું છે. છેલ્લા વખતમાં નામ પડ્યું છે. પહેલા તો ‘વઢવાણ સીટી અને વઢવાણ કૅપ એ બે વઢવાણ જ કહેવાતા... “મોરબી બાજુલાઈન જાય એટલે. આ City બાજુન આવે.
કેશવલાલની કે તમારી મને મળવાની ઇચ્છા હોય...તો અટકાવતો નથી, એમ કહે છે. અટકાવતાં મન અસંતોષ પામે છે.... એટલે ના નથી લખતો. તમે ત્યાં આવજો. “મન અસંતોષ પામે છે; તોપણ હાલ અટકાવવાનું મારું ચિત્ત રહે છે.” અભિપ્રાય એમ રહે છે. જુઓ ! મન અને અભિપ્રાયની વૃત્તિને જુદી પાડી છે. ચિત્તમાં એમ રહે છે કે ન આવો તો સારું. કોઈને મળવું નથી. અભિપ્રાય એવો છે. છતાં તમને અટકાવતાં લાગણી એમ થાય છે કે અસંતોષ થાય છે. બેય વાત સાથોસાથ લખી નાખી.
કેમકે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહિ હોવાથી અવ્યવસ્થિત ચિત્ત હતું એમ કહે છે. આમાં એમ સમજવાનું એ છે કે એમનું ચિત્ત એ વખતે અવ્યવસ્થિત હતું. બાહ્ય કાર્યોની બહુ કાળજીથી, એ વૃત્તિથી-કાળજીપૂર્વકની વૃત્તિથી કાંઈ કામ થાય એવી ચિત્તની વ્યવસ્થા નહોતી. એટલા ઉપેક્ષિત રહેતા હતા. અંતરવૃત્તિમાં એટલા સાવધાન રહેતા હતા. કેમકે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહિ હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા