________________
૧૭૧
પત્રાંક-૫૫૮ સત્યસ્વરૂપ છે તે જ સત્ય છે અને બાકી બધું ખોટું છે. બસ.
મુમુક્ષુ –એવી દૃષ્ટિથયા વિના કામ થતું નથી.
પૂજ્ય ભાઈશ્રી - કામ થતું નથી. એવી દષ્ટિથવી જોઈએ. પણ આત્મામાં એકલી દૃષ્ટિ પરિણમન નથી કરતી, આત્મામાં જ્ઞાન પણ પરિણમન કરે છે. જેવી રીતે દૃષ્ટિશ્રદ્ધાનો ગુણ છે એવી રીતે જ્ઞાન પણ એક ગુણ છે, આચરણ પણ એક ગુણ છે, આનંદ, શાંતિ પણ એક ગુણ છે, પુરુષાર્થ પણ એક ગુણ છે. એમાં અનેક ગુણ છે. એક ગુણ સ્વરૂપે આત્મા નથી. સમગ્ર રીતે આત્માને સમજવો હોય ત્યારે બધું સમજવું જોઈએ. નહિતર આ વેદાંત જેવું થાય કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. એક બ્રહ્મ સાચું છે અને જગત આખું ખોટું છે એ પરિસ્થિતિ થાશે. બહુમાર્મિક પ્રશ્ન ઉઠાવ્યો છે.
પત્રાંક-પ૫૮
મુંબઈ, પોષ વદ ૧૦, રવિ, ૧૯૫૧ વિષમ સંસારબંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ. માહ સુદ એકમ બીજ પર વખતે નીકળાય તોપણ ત્રણ દિવસ રસ્તામાં થાય તેમ છે, પણ માહ સુદ બીજ પર નીકળાય તેવો સંભવ નથી. સુદ પાંચમ પર નીકળાય તેવો સંભવ છે. વચ્ચે ત્રણ દિવસ થવાના છે, તે ન ચાલતાં રોકાવાનું કારણ છે. ઘણું કરી સુદ પામે નિવૃત્ત થઈ સુદ૮મે વવાણિયે પહોંચી શકાય તેમ છે; એટલે બાહ્ય કારણ જોતાં લીમડી આવવાનું ન બની શકે તેવું છે; તોપણ કદાપિ એક દિવસ વળતા અવકાશ મેળવ્યો હોય તો મળી શકે, પણ આંતરકારણ જુદું હોવાથી તેમ કરવાનું હાલ કોઈ પણ પ્રકારે ચિત્તમાં આવતું નથી. વઢવાણ સ્ટેશને કેશવલાલની કે તમારી મને મળવાની ઇચ્છા હોય તે અટકાવતાં મન અસંતોષ પામે છે; તોપણ હાલ અટકાવવાનું મારું ચિત્ત રહે છે; કેમકે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે, તે એટલે સુધી કે જેમની ઓળખાણ પ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તો સારું, કેમકે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ મારું ચિત્ત નથી. નિરુપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું