________________
૧૮૪
રાજહૃદય ભાગ-૧૧
ધ્યેયનો તો કોઈ ખ્યાલ પણ નહિ હોય કે આ ધ્યેય ચાલુ છે અને મારું ધ્યેય શું છે ? લક્ષમાં ધ્યેય વર્તે છે કે નહિ ? એ તદ્દન ધ્યેય વિહિન પ્રવૃત્તિ છે. એની કોઈ સફળતા થતી નથી.
મુમુક્ષુ :- ‘ગુરુદેવશ્રી'નો આ બોલ ચોટાડી રાખવા જેવો છે-પૂર્ણતાને લો શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે’.
પૂજ્ય ભાઈશ્રી :– એ પછી જ આગળ ચાલવાની વાત છે. એ પહેલા કોઈ શરૂઆત થવાની નથી. બધું કરેલું શરૂઆત વગરનું છે અથવા શરૂઆત પહેલાનું છે એમ સમજવું.
મુમુક્ષુ ઃ– દૃઢ આશ્રય આ Paragraph માં ત્રણ વખત આવ્યું.
પૂજ્ય ભાઈશ્રી :– હા. જ્ઞાનીપુરુષનો દૃઢ આશ્રય એટલે એકદમ જ્ઞાનીપુરુષ પ્રત્યે શ્રદ્ધા ઘણી. મારા કલ્યાણનું આ પરમ નિમિત્ત છે, પરમેશ્વર જેવું નિમિત્ત છે એવી એને પરમેશ્વરબુદ્ધિ થવી. તો જ એમના વચન પ્રત્યે એટલો વિશ્વાસ આવે, એટલો એને દૃઢતાથી આશ્રય થાય. નહિતર ક્યાંક શંકા પડે, ક્યાંક આશંકા થાય, ક્યાંક તકલીફ થાય. ક્યાંક ને ક્યાંક તર્ક-વિતર્ક આવ્યા વિના રહે નહિ.
શ્રી તીર્થંકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો...' તે જ્ઞાનીએ પણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન–પરિણામનો હેતુ થાય.' તીર્થંકરે એ વાત પ્રસિદ્ધ કરી છે કે જ્ઞાનીને કાંઈ વાંધો નથી. ગમે તે ઉદયમાં જ્ઞાની ઊભા હશે તો એને અહિત થવાનું નથી. કેમકે અંદરથી છૂટા પડી ગયા છે. માટે એમનું અહિત થવાનું નથી. તોપણ એને કર્મબંધ સંભવતો નથી એટલે એ બંધાતા નથી. જે સંસારી પ્રસંગમાં બીજા બંધાય છે એમાં એ બંધાતા નથી. કેમકે એમની સંસારસ્થિતિ જ પરિક્ષીણ થઈ ગઈ છે. તોપણ એ પુરુષાર્થમાં વર્તે છે, એ પુરુષાર્થને મુખ્ય રાખે છે અને એમના નિમિત્તે બીજાને પણ તે પુરુષાર્થનું અને આત્મસાધનનું કારણ થાય છે. કેમકે એને બીજા અનુસરે છે. માટે એ પુરુષાર્થમાં એને રહેવું જોઈએ એવી વાત કરી છે.
કેવી ૫૨સ્પ૨ વિરુદ્ધ વાત કરે છે ! કે જ્ઞાનીને તો સંસાર પરિક્ષીણ થઈ ગયો છે. પરિક્ષીણ થઈ ગયો છે એટલે એને તો કોઈ પરંપરા કર્મ સંબંધ થાય એવી પરિસ્થિતિ જ એના પરિણામની નથી, નિરસ પરિણામે પ્રવર્તે છે. તોપણ તીર્થંકરદેવે એમ કહ્યું છે કે એને પણ પુરુષાર્થવંત રહેવું, પુરુષાર્થમાં મુખ્ય રહેવું, કે જેથી બીજા જીવને પણ તે