________________
પત્રાંક-૫૫૪
૧૫૯
એમ નથી કે એકલી આત્માની વાતો કરે છે અને આ બધી વાતો જાવા દે છે. કે જાવ, જેમ થાવું હોય એમ થવા દો. આપણે શું ? એવું નથી. જ્યાં જ્યાં... એ તો પૂર્ણ નિર્દોષતાના ઇચ્છુક છે, પરિપૂર્ણ નિર્દોષતા જેને જોઈએ છે એને સહેજે જે દોષ ન થતો હોય એ શા માટે કરવો જોઈએ ? જે અપરાધ, જે દોષ ભલે નાનો હોય, એવો વ્યવહા૨ હોય, સહેજે ટાળી શકાય એવું હોય, તો શા માટે એમ કરવું જોઈએ ? તે દુર્લક્ષ સેવવા જેવું થાય. ત્યાં લક્ષ રાખવું જોઈએ. એણે એની ગંભીરતા કાંઈ નથી એમ કરીને કાઢી નાખે એ વાત યોગ્ય નથી.
?
મુમુક્ષુ ઃ– એને બાહ્ય આડંબર કીધો.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. આડંબર ખાતર જ કરે છે ને ?માણસો શું કરે છે ? આડંબર ખાતર તો બધું કરે છે. ધમાલ કરતા હોય છે.
રેવાશંક૨ભાઈને એ ભલામણ આપીએ છીએ, અને તમને પણ એ ભલામણ આપીએ છીએ.’ ભાગીદાર અને કાકાજી સસરા થતા હતા. તો કહે છે, એમને પણ એ જ ભલામણ કરી છે અને તમને પણ એ જ ભલામણ કરું છું. એના કાકાજી સસરા થાય છે, પણ એમની સાથેનો વ્યવહાર કેવો છે ? કે એ પોતે એમને સૂચના કરવાને ઠેકાણે છે કે તમે આમ કરો. અમારા ઘરે પ્રસંગ છે. તમે પ્રસંગે જઈને કામ કરશો, પણ આટલું ધ્યાન રાખજો. પોતે વડીલ હોય એવી રીતે સૂચના આપે છે. બહુ પીઢતા ઘણી હતી. એમનામાં નાની ઉંમરમાં ૨૮ વર્ષે પણ ૭૫ વર્ષના માણસને પણ કોઈ બીજો પીઢ માણસ શિખામણ આપે એવી રીતે વાત કરી છે.
આ પ્રસંગને માટે નહીં...’ માત્ર આ પ્રસંગને માટે નહિ પણ સર્વ પ્રસંગમાં..’ જોયું ? ‘આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે;... કે એવી નાની-મોટી વાતની અંદર ક્યાંય વ્યવહા૨-૫૨માર્થને બાધા થાય એવી રીતે પ્રવૃત્તિ કરવી નહિ. સાવધાની રાખવી. આ વાત તમને દ્રવ્યત્યયાર્થે નહીં, પણ પરમાર્થ અર્થે.’ આ વાત શા માટે કરી છે ? કે આ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે એ શા હેતુથી ? પૈસાના ખર્ચ માટે વાત નથી કરતો. કાંઈ તમે વધારે આડંબર કરવા જાવ અને ખર્ચો વધી જશે માટે હું નથી કહેતો. દ્રવ્યત્યય. વ્યય એટલે ખર્ચ થવો. એના અર્થે નહિ પણ ૫રમાર્થ અર્થે કહું છું. એટલે કચાંય પણ આપણે નાના-મોટા દોષમાં ઊભા રહેવું નથી.
ચારે પડખા ચોખ્ખા છે. એમનું અંતર-બાહ્ય જીવન ઘણું શુદ્ધ હતું એમ કહેવા માગે છે. જ્ઞાની હતા એટલું જ નહિ પણ બાહ્ય જીવનમાં પણ એટલી જ શુદ્ધતા (હતી), જેટલી એમના અંતરજીવનમાં શુદ્ધતા હતી. એવું બહુ જ શુદ્ધ જીવન જીવ્યા છે. ૩૪