________________
૧૬૦
રાજય ભાગ-૧૧
વર્ષનું આયુષ્ય માંડ છે પણ જીવનની શુદ્ધતા ઘણી છે.
અમારું કલ્પિત માહાસ્ય ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. આ પ્રસંગ આવે છે. આ તો શ્રીમદ્ રાજચંદ્રજીને ત્યાં પ્રસંગ છે માટે આમ દેખાવ થવો જોઈએ ને તેમ દેખાવ થવો જોઈએ. કોઈ કલ્પિત માહાસ્ય જગતમાં કરવાની જરૂર નથી. તમારે કોઈ આડંબર દેખાવ કરવાની જરૂર નથી. અમને એ જરાય પ્રિય નથી. લોકો વખાણ કરે એ કાંઈ અમને પ્રિય છે એમ તમે માનશો નહિ. એ અમને અપ્રિય છે.
બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ પરમાર્થ સચવાઈ કરી અપાય...” કોઈ જીવને સંતોષ અપાય. કેવી રીતે ? એનો પરમાર્થ સાચવીને. અમારા પરમાર્થને સાચવીને. એનો પણ પરમાર્થ સંતોષાતો હોય, કોઈ વાત લઈને આવે કે આમ કરવા જેવું છે. આમ કરવા જેવું છે તો અમે બધાને નારાજ કરવા માગીએ છીએ એમ નથી પણ પરમાર્થ સચવાઈને સંતોષ અપાતો હોય તો વાત છે. બાકી તો સગા-સંબંધી અનેક આવે. કોઈ આમ સલાહ આપે. કોઈ આમ કરો... કોઈ આમ કરો... કોઈ આમ કરો (એમ કહે). એક કામમાં સલાહ દેવાવાળા તો દસ જણા મળવાના છે. કોઈને નારાજ કરવાનો હેતુ નથી, કોઈને રાજી કરવાનો હેતુ પણ નથી. પરમાર્થ સચવાઈને સંતોષ અપાય તો તેમ કરવામાં અમારી ઇચ્છા છે. આ અમારી મર્યાદા છે. માપદંડ કરવાની આ મર્યાદા છે. એ જ વિનંતી.” કરીએ છીએ આ બાબતમાં. જુઓ ! વ્યાવહારિક પ્રસંગની અંદર પણ કેવી રીતે પોતે પ્રવર્તે છે એ ઉપદેશ લેવા જેવો વિષય છે.
મુમુક્ષુ -સો વર્ષ પહેલા લખી ગયાછે. પૂજ્ય ભાઈશ્રી:- હા. મુમુક્ષુ -Ice creamમાં અંજીર બહુ આવે છે.
પૂજ્ય ભાઈશ્રી – કંદમૂળ નખાય, રાત્રિ ભોજન ન થાય,દ્વિદળ ન થાય. આ બધા પડખા ધ્યાનમાં રાખવા જોઈએ. નહિતર રાતના દસ-દસ વાગ્યા સુધી રસોડું ચાલતું હોય. કોઈ ગમે ત્યારે આવે, જાનૈયા વહેલા-મોડા આવે. ઘરે બહેનનો પ્રસંગ છે ને? તો બહારથી જાન આવવાની હોય. જાનવાળાને ખરાબ ન લાગે, બીજું ત્રીજું બધું થાય કોઈને મનદુઃખ ન થાય. સાચવી લેવું જોઈએ એમ નહિ. કડક સૂચના આપી દે. અહીં આ ટાઈમે રસોડું બંધ થવાનું છે. બાકી હોય એ આવી જજો. પછી કોઈને પીરસવાનું નહિબની શકે બધી બાબતની અંદર પોતે બહુ સ્પષ્ટપણે, શુદ્ધપણે વર્યા છે.
ભલે દોષ નાનો હોય પણ દોષ ભલે થાય એ અભિપ્રાય બહુ મોટો દોષ છે. દોષ