________________
૧૫ર
રાજહૃદય ભાગ-૧૧ તો નીકળવાના છે ઘરે બહેનના લગ્ન છે એટલે મહા મહિનામાં નીકળવાના છે પણ એ પહેલા એમને નિવૃત્તિમાં, સત્સમાગમમાં રહેવાનો વિચાર રહે છે. અને શ્રી કઠોરમાં તે વાતની અનુકૂળતા આવવાનો વધારે સંભવ રહે છે....” “સુરત પાસેનું એક ગામ
કઠોર છે ત્યાંનો સંભવ રહે છે. કેમકે તેમાં વિશેષ પ્રતિબંધ થવાનું કારણ જણાતું નથી. અજાયું ગામ છે. બહુ ઓળખતા માણસો નથી એટલે લાંબુ ટોળું ભેગું થાય
મુમુક્ષુ -લોકોને સહજ આકર્ષણ રહે અને આમને...
પૂજ્ય ભાઈશ્રી :- લોકોનું ટોળું ભેગું ન થાય તો તબિયત બગડી જાય, તત્ત્વની વાત કરવાનો મૂડ ઊડી જાય. કે અહીંયાં તો કોઈને રુચિ નથી. અહીં તો કોઈ ઝાઝા માણસો ભેગા નથી થતા. આ એમ કહે છે, કે અહીંયાં ભેગા થાય એ અમને ઠીક પડતું નથી જુઓ! ઊલટી-સુલટી શું દશા છે. લોકસંજ્ઞાવાળા જીવને ઘણા ભેગા થાય ત્યારે એને મજા આવે, એને રસ પડે. લોકસંજ્ઞાનો પ્રગટપ્રકાર છે કે ઘણા ભેગા થાય તો રસ પડે અને નહિતરરસન પડે. સંખ્યા ઓછી થાય તો એને રસ ન રહે.
મુમુક્ષુ-આ સકામવૃત્તિ પણ લોકસંજ્ઞામાં આવી જાય છે?
પૂજ્ય ભાઈશ્રી –એને વ્યક્તિગત લાભ લેવાનો વિચાર છે. સકામવૃત્તિમાં શું છે કે પોતાનો વ્યક્તિગત અંગત જે ભૌતિક લાભ છે, સામાજિક લાભ છે, અંગત રીતે એને લાભ થાય એ પ્રકાર છે. અહીંયાં તો શું છે કે જ્ઞાની પુરુષ પોતે પોતાની આરાધના માટે એકાંતમાં રહેવા ચાહે છે. તો ઘણા માણસોનો પરિચય વધારવાની એમની ઇચ્છા નથી. જેને વિકલ્પ શાંત કરવા છે, એને વિકલ્પ વધારવાની પ્રવૃત્તિ કરવી કેમ પોસાય? એને તો પરિચય વધે તો એનો સમય બગાડનારા વધારે મળશે. અને પરિચય ઓછો હશે તો ઓછો સમય બગાડવા માટે લોકો એની પાસે આવશે. એ સમય બચશે એમાં એ) પોતામાં પોતાના સ્વકાર્યની અંદર લગાવશે. એવા હેતુથી વાત છે.
ઘણું કરીને શ્રી અંબાલાલ તે વખતમાં કઠોર આવી શકે, તે માટે તેમને જણાવીશ.” “અંબાલાલભાઈને એ લખવાના હતા. કે હું કઠોર' જવાનો છું. આ તારીખે હું ત્યાં પહોંચીશ. તમે આવશો. એને જણાવીશ. “અમારા આવવા વિષે હાલ કોઈને કંઈ જણાવવાનું કારણ નથી....એટલે તમે કોઈને કાંઈ જણાવતા નહિ. તેમાં અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી.” કેમકે “કઠોરની અંદર આપણા કોણ ઓળખીતા છે, અગાઉથી એને કહી રાખીએ, આમ છે, તેમ છે. વ્યવસ્થા માટે કાંઈ તમે તજવીજમાં ઉતરતા નહિ.