________________
પત્રાંક-પપર.
૧૪૯ હતી એ જગંધ અહીંયાં આવે છે. પણ તને એ જ આવે, સીધી વાત છે.
એમ સત્સંગ મળવા છતાં કુસંગની વૃત્તિ અને વાસના જીવ છોડતો નથી. સત્સંગમાં બેસવા છતાં વિરુદ્ધ અભિપ્રાય રાખીને બેસે છે એની હાલત એ જ થાય છે. એને કાંઈ સમજાતું નથી. એને કાંઈ અડતું-આભડતું નથી. કાંઈ લેવાદેવા નથી.
એ સિવાય કેટલી દીર્ઘદૃષ્ટિથી અહીંયાં વાત કરી છે. એમ કહેશે, કે તમારી યોગ્યતા તો કાંઈક સારી છે એટલે બહુ નુકસાન નહિ થાય. પણ તમારા કુટુંબને મોટું નુકસાન થઈ જશે. એક મુદ્દા ઉપર એટલી બધી એમણે દીર્ઘદૃષ્ટિદોડાવી છે. જુઓ ! શું કહે છે? “અમને તેથી ચિત્તમાં મોટો ખેદ થતો હતો...” નીચેથી ત્રીજી લીટી. કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વર્તે છે. આવી સુંદર યોગ્યતા છે, પાત્રતા છે, એવા જીવને પણ આ વૃત્તિ આવી જાય છે? “નહીં તો તેનો સ્વપ્ન પણ સંભવ ન હોય. એને સ્વપ્ન પણ વિકલ્પ ન આવે. એના બદલે એને આ વૃત્તિ આવી જાય છે? જોકે તે સકામવૃત્તિથી તમે પરમાર્થદૃષ્ટિપણું વીસરી જાઓ એવો સંશય થતો નહોતો. અમને એવી શંકા નહોતી પડતી કે આ સકામવૃત્તિ અત્યારે થાય છે એટલે તમારી પરમાર્થદષ્ટિને જ તમે વિસરી જશો. એવું તમારા માટે એટલી શંકા નહોતી થતી.
પણ... તોપણ પ્રસંગોપાત્ત પરમાર્થદષ્ટિને શિથિલપણાનો હેતુ થવાનો સંભવ દેખાતો હતો. પણ તમારી પારમાર્થિક વૃત્તિને નુકસાન થતું હોય એ ભાવ કેમ નિષ્ફળ જાય? જે સકામવૃત્તિનો ભાવ છે એનિષ્ફળ કેવી રીતે જાય? એ કાંઈક તો કામ કરે ને. પણ તે કરતાં મોટો ખેદ એ થતો હતો કે હવે એમ વાત કરે છે, કે તમારી વાત તો મર્યાદિત હતી. કેમકે તમારી પાત્રતા કાંઈક વિશેષ છે. પણ તે કરતાં મોટો ખેદ એ થતો હતો કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામબુદ્ધિવિશેષ થશે. તમારા બધા દીકરાઓ વગેરે તમારી જવૃત્તિને અનુસરતા થઈ જશે.
અને પરમાર્ગદષ્ટિ મટી જશે, અથવા ઉત્પન્ન થવાનો સંભવ ટળી જશે અને તેને લીધે બીજા પણ ઘણા જીવોને... આ તમારા કુટુંબને જોનારા પાછા બીજા જીવો હશે, કે આ તો “સોભાગભાઈનું કુટુંબ છે. તેને લીધે બીજા પણ ઘણા જીવોને તે સ્થિતિ પરમાર્થ અપ્રાપ્તિમાં હેતુભૂત થશે.” આવું કારણ બનશે. વળી સકામપણે ભજનારની અમારાથી કંઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ,...” એવું કાંઈ નથી કે અમે કાંઈ મદદ કરી દઈએ છીએ કે મદદ કરી દઈએ, એવું તો અમારાથી બનવું પણ કઠણ છે. તેથી સકામી જીવોને પૂર્વાપર વિરોધબુદ્ધિ થાય.... અમે તો એની ઇચ્છા પ્રમાણે ચાલીએ