SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ રાજદય ભાગ-૧૧ આવી શકે એવી ઘણી સારી યોગ્યતા હોવા છતાં એમને જે વર્તમાન પોતાના સંયોગ ઉપરની જે પરિણામની તીવ્રતા થઈ આવતી હતી અને પ્રતિકૂળતા હટાવવા માટે એ શ્રીમદ્જીને ખુદને યાચના કરતા હતા. આ જે કંઈ ધંધો-વેપાર કરે એનો એટલો એમને વાંધો નહોતો. એમ નહોતા કહેતા કે તમારે આજીવિકાની તકલીફ છે છતાં તમે ધંધોન કરતા, વેપાર ન કરતા, કોઈ તમે વ્યવસાય ન કરતા, નોકરી ન કરતા એવું નથી કીધું. એમાં એટલું નુકસાન નથી. પણ ધાર્મિકયોગની અંદર જે અનુકૂળતા પ્રાપ્ત કરવાનો એમનો પ્રકાર હતો એ યોગ્ય નહોતો. એ એમને દર્શનમોહને તીવ્ર થવાનું કારણ હતું. કોઈપણ જીવને એ દર્શનમોહને તીવ્ર થવાનું કારણ જછે. મુમુક્ષુ -આમાંથી એક વાત ફલિત થાય છે કે યોગ્યતાનું માપ પણ જ્ઞાની જ કાઢી શકે, અજ્ઞાની તે માપ કાઢી ન શકે. પૂજ્ય ભાઈશ્રી:- નહિ. એમ જ છે. મુમુક્ષુ – અજ્ઞાની માપ ન કાઢી શકે. મુમુક્ષુ મુમુક્ષુની યોગ્યતાનું માપ કાઢી ન શકે. પૂજ્ય ભાઈશ્રી – કદાચ ઓછા-વત્તા પ્રમાણમાં જેટલી નિર્મળતા હોય એટલો ખ્યાલ આવે. જેમ કે કોઈ પોતા કરતા વિશેષ યોગ્ય હોય તો ખ્યાલમાં આવી જાય. કોઈ પોતા કરતા વિશેષ પાત્ર હોય). મુમુક્ષુ - બહારનો ખ્યાલ આવે મંદતાનો, ઉદાસીનતાનો, એ બધો ખ્યાલ આવે યોગ્યતાનો ખ્યાલ મુમુક્ષુને આવે)? પૂજ્ય ભાઈશ્રી:- એની જે આત્મા તરફની ભાવના હોય છે, એની જેલગની હોય છે, તાલાવેલી હોય છે એનાથી ખ્યાલ આવી જાય. ન જ આવે એવું નથી. આવે. ભલે જ્ઞાનીને આવે એટલો ખ્યાલ)ન આવે. જેટલો ખ્યાલ જ્ઞાનીને આવે એટલો ન આવે. કેમ કે એ તો એ વિષયની જ્ઞાનમાં જેટલી નિર્મળતા છે એટલું માપ આવે છે. એ મુમુક્ષુના જ્ઞાનની નિર્મળતા ઉપર આધારિત છે. જેટલી પોતાને તે ભૂમિકાની નિર્મળતા હોય એટલો ખ્યાલ આ વિષયમાં વધારે પડે છે. આ વિષય જે આત્મા સંબંધીનો, પાત્રતા સંબંધીનો, અધ્યાત્મનો જેટલો વિષય છે, એ બધામાં જ્ઞાન કેટલું કરે? કે જેટલી પોતાની નિર્મળતા હોય એટલું. બસ. આ સીધે સીધી વાત છે. એટલે મુમુક્ષુને જેટલી નિર્મળતા હોય એટલો એને ખ્યાલ આવે. જ્ઞાની જેટલો તો ન આવે એતો સ્વભાવિક છે. | મુમુક્ષુ – એની માપમાં ભૂલ પણ થવાનો સંભવ છે. મુમુક્ષુને બીજા મુમુક્ષુની યોગ્યતાના માપમાં ભૂલ થવાનો પણ સંભવ છે. જ્યારે જ્ઞાનીને યોગ્યતાનું માપ આવે છે
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy