________________
૧૨૮
રાજહૃદય ભાગ-૧૧ ખરેખર પ્રકાશી નીકળે, પ્રગટ થઈ નીકળે એ અમે જોવા માગીએ છીએ. તમે તમારા આત્મબળમાં આવો એ અમે જોવા માગીએ છીએ. અમે તમને દીનપણે જોવા માગતા નથી. ઊલટાનો વધારે બળવાન થાય છે.
આ વિષય પરત્વે તમને વિશેષ કારણો આપી... એટલે આના અમે તમને ન્યાયો આપીએ, કે તમને આત્મામાં લાભ શું? આત્મામાં ગેરલાભ શું? અનેક જાતના તમને ન્યાય આપીને નિશ્ચય કરાવવાની અમારી ઇચ્છા છે, કે તમે કોઈપણ કારણે દીન ન થાઓ, અમારા સમાગમમાં ન આવો, કોઈના સમાગમમાં ન આવો, એવી અમારી ઇચ્છા છે. અને તે થશે... અને એ ઈચ્છા છે એમ જ થશે એમ અમને નિશ્ચય રહે છે.' સમાગમમાં એ વાત અમે તમને વિસ્તારથી કરશું કે એમાં આત્માને લાભ શું અને આત્માને ગેરલાભ શું? કેટલા કેટલા પડખેથી વિચારવું ઘટેછે.
ગુણ નિષ્પન્નતા અર્થે એના ગુણની વધારે પ્રાપ્તિ થાય. નિષ્પન્નતા થવી એટલે પ્રાપ્તિ થવી. એને વધારે ગુણ પ્રાપ્તિ થાય, એના માટે એની અનુકૂળતા જોવી એ માર્ગનું અંગ છે.
મુમુક્ષુ -સ્થિતિકરણ અંગમાં આવે?
પૂજ્ય ભાઈશ્રી - એને સ્થિતિકરણમાં કહે છે, વાત્સલ્યમાં કહે છે, પ્રભાવનામાં કહે છે. ત્રણેમાં આવે છે.
મુમુક્ષુ-એને બતાવ્યા વિના?
પૂજ્ય ભાઈશ્રી:- હા, એને બતાવ્યા વિના. એને એમ ન લાગે કે આ મારા ઉપર ઉપકાર કરે છે. એને એમ ન લાગે કે આ મારા ઉપકાર કરે છે. એટલે એને ગુપ્તદાન કહેવામાં આવે છે. ગુપ્તદાન કેમકે લેનારનો હાથ નીચે રહે છે, દેનારનો હાથ ઉપર રહે છે. મારે દેવું છે હાથ ઉપર રાખવો નથી, એમ કહે છે. દેવું છે પણ) હાથ ઉપર રાખવો નથી. હાથ નીચે રાખીને દેવું છે. આ તો અલૌકિક ન્યાય છે. જૈનદર્શનના ન્યાયો પણ લોકોત્તર છે. આ બધાSupreme qualityજાયો છે.
જગતમાં દાન તો લોકો ક્યું છે પણ ઉપર હાથ રાખીને દે છે. આ કહે છે, નહિ, જૈનદર્શનમાં દાન નીચે હાથ રાખીને દેવાય છે. ઉપર હાથ રાખીને નથી દેવાતું. માર્ગની વિધિ કોઈ એવી છે. અને એ ઋષભ આદિ મહાપુરુષોએ આ કાળમાં એ માર્ગ શરૂ કર્યો છે. આ નામ-બામ લખાવવાનું આવે છે એ તો ઘણું ખરાબ લાગે છે. દાન આપીને જે નામ રાખવાની, નામ લખાવવાની વાત છે એ તો ઘણું વિપરીત છે. એ તો આ માર્ગમાં છે જનહિ.