________________
પત્રાંક-પપ૧
૧૪૩ મુમુક્ષુ જીવે ધ્યાન દેવા યોગ્ય છે. એ ધ્યાન ખેંચ્યું છે, કે તમારે મુમુક્ષુને શું પ્રયોજનની વાત છે? વાતો તો ઘણી આવે. તમારે તમારો આત્માનુભવકેમ થાય? એ અનુભવની વાત કેવી રીતે એમણે કહી ? અથવા પદાર્થનો સાક્ષાત્કાર કેમ કર્યો? આ વાત વિચારવા જેવી છે.
જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે....” આત્માનો અનુભવ કરવો એમ કહો કે આત્માને પ્રગટ કરવો એમ કહો, બેય એક જ વાત છે. તો કહે છે, જેટલો વિસ્તાર કર્યો છે એનો હેતુ આ એક જ છે. એ હેતુથી વિસ્તારને જોવામાં આવે તો વાંધો નથી. માટે વિસ્તારને જોવો કે સંક્ષેપને જોવો, એક આત્માને પ્રગટ કરવા માટે સર્વ વાત કહી છે. એ આત્માને પ્રગટ કરવાને લક્ષે તમે એના નિરૂપણને સમજો કે અનુસરો તો તમારું કલ્યાણ થાય. નહિતર કલ્યાણ થાય નહિ. શું થાય છે કે જીવને જાણવાની જે ઇચ્છા રહ્યા કરે છે કે ઘણું જાણવું, બધું જાણવું, જેટલું બને એટલું વધારે જાણવું. અને જાણવું જાણવું. જાણવું... એક જાતનો જાણવાનો લોભ રહે છે. એ હેતુ બરાબર નથી. એ કુતૂહલવૃત્તિ જેને કહેવામાં આવે, એ કુતૂહલ વૃત્તિને પોષવા માટે એ હેતુથી કાંઈપણ શાસ્ત્રનું અધ્યયન કરવા યોગ્ય નથી પણ આત્મા પ્રગટ કરવા માટેના એક જ હેતુથી, એક જ દૃષ્ટિકોણથી એ એક દૃષ્ટિકોણને પકડીને સાધ્ય કરીને જે કાંઈ સ્વાધ્યાય કરવામાં આવે તે યથાર્થ છે). એમને અધિકાર છે. જે જ્ઞાનથી વિમુખ થાય એને તો મોક્ષમાર્ગની ધાર્મિક પ્રવૃત્તિ કરવાનો કોઈ અધિકાર નથી. અહીંયાં એનાખ્યું, જુઓ કેવી કેવી વાતો નાખી છે!
મુમુક્ષુ - ૧૦૦વર્ષ પહેલા. પૂજ્ય ભાઈશ્રી:-બરાબર છે.
કેમકે લોકો એમ જ માને છે કે અમે તો ધર્મનો પ્રચાર કરીએ છીએ. અમે તો... પુસ્તકો, શાસ્ત્રો છપાવીએ, અમે પ્રવચનો કરીએ, અમે આ બધું કરીએ. શું કરીએ બધા ધાર્મિક મેળાવડા, શિબિરો, ધ્યાન કેન્દ્રો કાંઈક ચાલે છે. ઊભો રહેતું. જ્ઞાની છો? તો તને અધિકાર છે. જ્ઞાની નથી? તો કહે જ્ઞાનીની આજ્ઞાએ કરે છો ? જ્ઞાનીના આશ્રયે કરે છો?જો આ ... કેવી વાત નાખી છે?
પાછું એ ચક્કર ચાલુ રહી ગયું. એમાં ત્રસપર્યાય તો બહુ ઓછો કાળ છે. બાકી નિગોદની પર્યાયમાં જીવ ચાલ્યો જાય છે. “મોક્ષમાર્ગપ્રકાશકમાં બીજા અધિકારમાં આવે છે, કે એક વખતમાં નિગોદમાં જાય તો લગભગ અઢી પુગલ પરાવર્તન.... સાત પરાવર્તન છે ને એમાં એના અઢી ગુણા થાય પછી માંડ બહાર નીકળે તો ત્રસપર્યાયમાં