________________
૧૩૦
ચજહૃદય ભાગ-૧૦ મુમુક્ષુઃ-માતાજી બહેનોને ત્યાં કરતા.
પૂજ્ય ભાઈશ્રી - માતાજી' કરતા, ગુરુદેવ’ કરતા એ બધો ખ્યાલ છે. ગુરુદેવ આપતા. કોઈ મૂકી જાય ને, પૈસા એમ ને એમ મૂકી જાય, ચીજ-વસ્તુ મૂકી જાય. ગુરુદેવ પાસે પરાણે મૂકી જાય. પછી આપી દે. પોતે આપવા ન જાય. કોકને કહી દે આ આને આપી દેજો. આ આને આપી દેજો. ઓલું ઓલાને આપી દેજો. ઓલો જરૂરતવાળો છે એને મોકલાવી દ્યો. એમ કહીદે. અને ગુરુદેવના દેહાંત પછી એ વાત અમને ઘણી જાણવા મળી છે. જે લોકોને મળતું હતું એ ગુરુદેવ આડકતરી રીતે (આપતા. અમને બધાને ખોટ પડી છે, નહિ અમને લોકોને ખોટ પડી છે. એવા સામાન્ય અનુકંપાયોગ્ય માણસો. મુમુક્ષુ નહિ એવા અનુકંપાયોગ્ય માણસોને મોકલતા. એટલે પૂજ્ય બહેનશ્રી' પણ એ કરતા. એ પણ એવી રીતે. કોણે મોકલી છે એ ન બતાવે. કેવી રીતે આવ્યું છે એન બતાવે. બીજાને માથે આમ નાખી દે કે આ પહોંચાડી દેજો. એ રીતે કર્તવ્ય છે.
બતે અમારા અંગના વિચારનો છે અને તેવી આચરણા.... એટલે તેવું આચરણ સત્યુષને નિષેધ નથી, એવી આચરણા સપુરુષ માટે નિષેધ નથી. એ સત્પરુષ કહી રહ્યા છે. નિષેધ નથી, પણ કોઈ રીતે કર્તવ્ય છે. એમ કરવા યોગ્ય છે અને સહેજે એમ જ હોય. એમના પરિણામમાં સહેજે એમ જ હોય. માત્ર સામા જીવને...” આ શરત છે. માત્ર કરીને વાત કરી છે. માત્ર સામા જીવને પરમાર્થનો રોધ કરનારતે વિષયકે તે સેવાચાકરી થતાં હોય તો તેને સત્પષે પણ ઉપશમાવવા જોઈએ.” તો એ પુરુષને યોગ્ય છે. એ જીવને દીનવૃત્તિ, અપેક્ષાવૃત્તિ, યાચનાવૃત્તિ એવી મલિન, અશુદ્ધ વાસના ઉત્પન્ન થઈ જતી હોય તો પુરુષે ત્યાં રોકાઈ જવું, એ કરવા યોગ્ય એને નથી. આટલું ધ્યાન રાખવું, આટલી સાવધાની રાખવી.
મુમુક્ષુ :- આ કલમ લાગુ પાડી “સોભાગભાઈ ઉપર. એટલે નથી કરતા સોભાગભાઈને.
પૂજ્ય ભાઈશ્રી:- એટલે નથી કરતા. બહુ સારો ન્યાય લીધો છે. આ તો શાસ્ત્રોમાં આવો વિષયનનીકળે. આ તો પ્રાસંગિક વાત છે એટલે વાત નીકળી છે. બે વચ્ચે પ્રસંગ ઊભો થયો. “સોભાગભાઈને જરા દીનતા આવી. એકદમ પોતે એ વિષયમાં કડક થઈ ગયા. કડક થઈને લખ્યું, કે પ્રાણ જાય તમારા તોપણ શું થઈ ગયું? અમે અનુકંપા કરવા માગતા નથી. શું લખે છે? ઊભા રહો. અમારા હૃદયના ખૂણામાં એક બીજી વાત બીજી રીતે છે એ પણ તમે સમજો અને આ વાત કઈ રીતે છે એ પણ તમે સમજો.