________________
૧૦૬
રાજહૃદય ભાગ-૧૧ મુમુક્ષુ-મૂળ તો એ જ છે.
પૂજ્ય ભાઈશ્રી:- મુમુક્ષુ હોવા છતાં મુમુક્ષતા નથી. મુમુક્ષતા તો જેને છૂટવું છે એને મુમુક્ષુ કહે. પોતાના દોષથી જેને છૂટવું છે, નિર્દોષતા જેને પ્રાપ્ત કરવી છે એનું નામ મુમુક્ષતા છે. તો એનો વ્યવહાર તો પોતાના ધ્યેયને અનુકૂળ હોય ને? એની વર્તના, એની પ્રવર્તના જે કહો તે એના ધ્યેયને અનુકૂળ હોય ને ? કે વિરુદ્ધ હોય ? આ સીધી વાત છે. સ્વાધ્યાયમાં તો એવી વાત સમજીને પોતે કેમ અંગીકાર કરી શકે એટલો પ્રયત્ન કરવાનો છે. વાત સમજવા મળે છે, અંગીકાર કરવાનો પ્રયત્ન પોતાને કરવાનો છે. સમજવાનો પ્રયત્ન પોતાને કરવાનો છે, ગ્રહણ કરવાનો પ્રયત્ન પણ પોતાને જ કરવાનો છે.
મુમુક્ષુ - મુમુક્ષુ મુમુક્ષુને સુધારી શકે, તો એ તો એવી પરિસ્થિતિમાં આવી ગયો હોય કે ઓલાને પોતાના દોષ કહેવાની એટલી સરળતા હોય ત્યારે એવો વ્યવહાર ગણે. એવગરતો એને કઈ રીતે સુધારવાનો કેન સુધારવાનો વ્યવહાર બનતો નથી.
પૂજ્ય ભાઈશ્રી - કોઈ કોઈને સુધારવાનો અભિપ્રાય રાખે તો એ તો વિપરીત બુદ્ધિ છે. બીજાને સુધારવાનો અભિપ્રાય એ મુમુક્ષુતાનું અંગ નથી. મુમુક્ષુતાનું અંગ તો. પોતાને સુધારવાનું છે. એ અભિપ્રાય છે. પછી એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જ્યારે હું પોતે જ એમ કહું કે મારો આ દોષ છે, કેવી રીતે આ છૂટે એવી કાંઈ તમે મને બે વાત કહો તો સારું. તો સામેથી એ જ પ્રકારનો વ્યવહાર થવાનો છે. વ્યવહાર તો અરસપરસ જેવો વ્યવહાર પોતે કરે એવો જ સામે આવે છે. અવાજ નીકળે એવો જ પડઘો પડે, એ તો સીધી વાત છે. એ જગ્યાએ પરસ્પર એમ જબને છે.
મુમુક્ષુ – બધા મુમુક્ષુઓમાં દોષ તો છે જ. કોઈમાં કોઈ દોષની મુખ્યતા હોય, કોઈમાં કોઈ દોષની મુખ્યતા હોય, તો જ્યારે પોતે નિવેદન કરવા માટે તૈયાર થાય, તો આ અરસપરસનો વ્યવહાર શરૂ થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી - તો રસ્તો સહેલો થઈ જાય. પોતે ન નિવેદન કરે અને પોતે બીજાનું કરે, તો એમાં તો કાંઈ વ્યવહાર બરાબર નથી થતો.
મુમુક્ષુ - ખરેખર તો ભાઈ ! સત્સંગનું એટલું મહાભ્ય, અત્યાર સુધી આ એક દોઢ વર્ષથી સ્વાધ્યાય ચાલે છે પણ ખરેખર એનું કોઈ ફળ પરિણામમાં આવતું હોય એવું નથી લાગતું.
પૂજ્ય ભાઈશ્રી:-પ્રયત્ન કરવો, વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. મુમુક્ષુ - એનું મહત્ત્વ નથી સમજાયું. હાલ સુધી મહત્ત્વ નથી સમજાયું. અંદરથી