________________
પત્રાંક-૫૫૦
૧૨૫ જેથી એને અંદેશાનું કારણ ન થાય. ઠીક છે.
અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમપુરુષોના માર્ગનો નાશ ન કરે.’ અને બીજા અપેક્ષાવૃત્તિવાળા જીવો, અશુદ્ધ વૃત્તિવાન છે એ. બીજા અપેક્ષાવૃત્તિવાળા જીવો પણ એવી રીતે વર્તીને પરમપુરુષોના માર્ગનો નાશ ન કરે. આ પરમપુરુષોનો માર્ગ છે. નિરપેક્ષવૃત્તિ એ પરમપુરુષોનો માર્ગ છે. સાધક આત્માઓનો એ માર્ગ છે. એ માર્ગનો નાશ અશુદ્ધ વૃત્તિવાળા જીવો કરે છે અને પોતાનો બોજો બીજાને માથે નાખે છે.
મુમુક્ષુ-પત્રમાં જૈનદર્શનનું હાર્દસમજાવ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી – જૈનદર્શન આવું જ છે. ચોખ્ખું જૈનદર્શન આવે છે. કે ગૃહસ્થ હોય કે ત્યાગી હોય પોતાનો બોજો બીજા માથે નાખે એ માર્ગ છે નહિ.
મુમુક્ષુ - “ગુરુદેવ' કહેતાકે આ યાચક માર્ગનથી.
પૂજ્ય ભાઈશ્રી - યાચનાનો માર્ગ નથી. એટલે તો ફંડફાળો માગવાની આપણે ત્યાં પદ્ધતિ નથી. એક બહુ સુંદર ગુરુદેવે પ્રણાલિકા પાડી એ ઈ પાડી કે કોઈપણ મંદિર થાય,ગમે તે થાય, ઉત્સવ થાય કોઈ ફંડફાળો ઉઘરાવવા જવો, તમે નોંધાવો, તમે આટલા લખાવો એ વાત આપણે ત્યાં બિલકુલ નથી. અને કોઈ એવી ભૂલ કરે તો ગુરુદેવ ટીકા કરતા. ટીકા કરતા નહિ, આકરી ટીકા કરતા હતા. એવા માગણવેડા અને ભીખારાવેડા શું કરવા કરે છે ? કોણે એમને કહ્યું કે તમે મંદિર બનાવો ? કોણે એમને કહ્યું કે તમે સ્વાધ્યાયમંદિર બનાવો?
પ્રસંગ તો ઊભો થયો હતો માનસ્તંભ વખતે. માનસ્તંભ વખતે ઘણા વર્ષ પહેલા. માનસ્તંભ બનવાનો પ્રસંગ હતો. ખર્ચે બહુ હતો. પેમ્પલેટ કાઢ્યા. સખી દાતાઓએ યથાશક્તિ ફાળો મોકલવો. અમારે ત્યાં મોટો ખર્ચ છે, અમારે ત્યાં મોટું કામ અમે ઉપાડ્યું છે. અમારી બધી ભાવનાથી અમે આ કરીએ છીએ પણ તમે પણ કાંઈક સહકાર આપો. ગુરુદેવને ખબર પડી. આ માગનાર તો મોટા શ્રીમંત છે. એ શું કરવા ભીખ માગે છે? જે માગનાર હતા એ પૈસાવાળા માણસ હતા. એ શું કરવા કહે છે? આવું ભીખ માગવાનું આપણે ત્યાં ક્યાં છે? બિલકુલ નહિ કોણે કહ્યું તમને કરવાનું ન કરે. શક્તિ હોય તો કરે, અર્પણતા કરે. શક્તિ ન હોય અથવા અર્પણતા કરવાનો ભાવ નહોયતોન કરે. બીજા આગળથી પૈસા લેવાની વાત ક્યાં છે?
મુમુક્ષુ - એક ટ્રસ્ટી ‘નરભેરામ પાલિતાણાવાળા વકીલ હતા ને? એ ચાલુ પ્રવચનમાં મશ્કરીમાં કીધું કે હવે તમે તો કાંઈક બોલો. ગુરુદેવ પાટ ઉપર બેઠા હતા. ત્યાં ને ત્યાં ખખડાવ્યા, ખબરદાર કોઈને કહેવાનું નહિ. આ કાંઈ યાચકમાર્ગ નથી,