________________
૧૧૮
રાજહૃદય ભાગ–૧૧ પૂજ્ય ભાઈશ્રી – સંબંધ અચ્છા રહેગા, સુંદર રહેગા. સંબંધ મેં સુંદરતા આ જાયેગી. ક્યા આ જાયેગી? સંબંધમેં સુંદરતા આ જાયેગી. સોને મેં સુગંધ આ જાયે ઐસી બાત હો જાયેગી.
મુમુક્ષુ -પણ કોઈને મુમુક્ષુ-મુમુક્ષુ સંબંધી હોય અને બીજા કોઈ સંબંધી ન હોય એની પાસે...
પૂજ્ય ભાઈશ્રી :- આકરી તો કાંઈ થવાની નથી. આ Line જ એવી છે બધું આકરાપણું છૂટી જાય એવી છે.
મુમુક્ષુ – એટલે કે ધર્મમાં વ્યવહાર ન હોવો જોઈએ અને વ્યવહારમાં ધર્મના હોવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી:- ન હોવો જોઈએ. બસ, આ સીધી વાત છે. ધર્મમાં વ્યવહાર ઘુસેડના નહિ, વ્યવહારમેં ધર્મ ઘુસેડના નહિ. ઔર ધાર્મિક સંબંધ હૈ ઉસકો હી હમેંશા મુખ્ય રખના, વ્યાવહારિક સંબંધ કો હંમેશા ગૌણ કરદેના. બસ, યહી બાત હૈ.
મુમુક્ષુ - એક બાજુ થઈ, નિરપેક્ષતા હોવી જોઈએ. મુમુક્ષુ.... પણ બીજા મુમુક્ષુ પરત્વે જ્યારે કર્તવ્ય કરવાનું આવે ત્યારે એ વખતે જો પોતાના પરિવાર પરત્વે પોતે રંગરાગથી કરતો હોય અને ત્યાં અલ્પત્વ રાખે)તો એનું મુમુક્ષુપણું ધોવાય?
પૂજ્ય ભાઈશ્રી:- હાસ્તો. તો એ ઉચિત નથી, એ અનુચિત છે. એટલે તો એમણે એમ કહ્યું, કે હું પરિગ્રહમાં ઊભો છું ત્યાં સુધી હું મારું કામ મારા હાથે કરવા માગું છું.
મુમુક્ષુ – પહેલા કેટલાકને પેડલ માર્યા વગર જ પરિણામ દોડ્યા જ કરે અને એને રોકવા બ્રેક મારવી મુશ્કેલ પડે. અહીંયાં આગળ પરિણામ ચાલે જ નહિ. મુમુક્ષુ પરત્વે.
પૂજ્ય ભાઈશ્રી -એતો વિપરીતતા છે. મુમુક્ષુ -ઉપડે જ નહિ. પરિણામ જન ઊપડે. પૂજ્ય ભાઈશ્રી:-એવિપરીતતા છે. મુમુક્ષુ –એટલે ત્યાં મુમુક્ષુ મારા એવું લાગ્યું નથી.
પૂજ્ય ભાઈશ્રી – હા. જે સાધર્મી વાત્સલ્ય હોય એ ત્યાં નથી રહ્યું. વાત્સલ્ય નથી એટલે મુમુક્ષતા ક્યાંની રહી ? વાત્સલ્યને રાખીને વાત છે. વાત્સલ્ય તો પોતામાં હોવું જોઈએ. તો આ Problem રહેવાનો નથી. તમારે મને દેવું છે પણ મારે લેવું નથી. તો એ સંબંધ કેટલો સુંદર હશે ? તમે મને દેવા ચાહો છો અથવા હું તમને દેવા ચાહું છું પણ લેનારે લેવું નથી, હવે સંબંધ કેટલો સુંદર થાય એ તો કહો. એની સુંદરતા કેટલી વધી