________________
૮૪
રાજહૃદય ભાગ-૧૧ મોક્ષ થાય નહિ. પરિપૂર્ણ વીતરાગ સિદ્ધ દશા ન થાય. એનું આખું વિજ્ઞાન છે. એ સ્વભાવમાં નથી. તો પછી થાય છે એ વાત પ્રગટછે. પાછી એ ભ્રાંતિ છે એમ નથી કીધું. આની જેમ. જ્ઞાનીની દશામાં રાગ છે એનું શું? દોષ છે એનું શું? દુઃખ છે એનું શું? તો એ પર્યાયનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ નહિ હોવા છતાં પર્યાયનો એ ધર્મ છે. એમ એનું વિજ્ઞાન છે, એનું Science છે. અને એ વસ્તુના સ્વરૂપ અનુસાર બધી સૈદ્ધાંતિક વાત છે. શું કહ્યું?
તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી.” એ તો દઝંત આપ્યો છે. તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે. જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાન ટળે છે. અહીં ઉદાસીનતા થાય છે એટલે એનું અજ્ઞાન ટળે છે. અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી.” તે (ઉદાસીનતાને લીધ) ભવિષ્યકાળમાં તે પ્રકારનું એટલે દર્શનમોહનીય કર્મને બાંધવાનો, ત્યાં અનંતાનુબંધીને બાંધવાનું કર્મ તેને ઉપાર્જન થતું નથી.
ક્વચિત્ પૂર્વનુસાર કોઈ જીવને વિપર્યયઉદય હોય...” એટલે ઉપશમ થયેલું હોય તો....દર્શનમોહનીય અને અનંતાનુબંધી ઉપશમ થઈને રહ્યા હોય તો પૂર્વાનુસાર એટલે પહેલાની જેમ જ. કોઈ જીવને વિપર્યયઉદય હોય,...” અને દર્શનમોહનીયનો ઉદય થાય, અનંતાનુબંધીનો ઉદય થાય તોપણ તે ઉદય અનુક્રમે ઉપશમી,” તે ઉદય અનુક્રમે પાછો ફરીને ઉપશમીને ક્ષય થઈ, જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે. પછી એ અનંતકાળ સુધી પરિભ્રમણ કરે એવું ન બને. વધુમાં વધુ “અર્ધપગલપરાવર્તનમાં અવય સંસારમુક્ત થાય છે.” એ મર્યાદિત કારણની અંદર એનો નિશ્ચય થાય છે. વધુમાં વધુ કાળ છે. તેથી ઓછા કાળમાં પણ અંતર્મુહૂર્તમાં પણ કોઈ માર્ગને ગ્રહણ કરે ખરા. જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલપરાવર્તન. એટલા કાળમાં અને મુક્તિ થવી સંભવે છે.
પણ સમકિતી જીવને, કે સર્વશ વીતરાગને, કે કોઈ અન્ય યોગી” હોય. મહાત્મા, ભાવલિંગી સંત હોય. સાધુ, આચાર્ય, ઉપાધ્યાય કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે.' એવું વસ્તુનું સ્વરૂપ પણ નહોઈ શકે એવો સિદ્ધાંત પણ ન હોઈ શકે
મુમુક્ષુઃ- “શેઠિયાજીને આ વાત ઉપર...