________________
પત્રાંક-પપ૦
૯૯
કોઈ રીતે કર્તવ્ય છે. માત્ર સામા જીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે તે સેવાચાકરી થતાં હોય તો તેને સત્યુ પણ ઉપશમાવવાં જોઈએ.
અસંગતા થવા કે સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થવા તમારા ચિત્તમાં એમ રહે છે કે કેશવલાલ, ત્રંબક વગેરેથી ગૃહવ્યવહાર ચલાવી શકાય તો મારાથી છૂટી શકાય તેવું છે. બીજી રીતે તે વ્યવહારને તમે છોડી શકો તેવું કેટલાક કારણોથી નથી, તે વાત અમે જાણીએ છીએ, છતાં ફરી ફરી તમારે લખવી યોગ્ય નથી, એમ જાણી તેને પણ નિષેધી છે. એ જવિનંતી.
પ્રણામ પ્રાપ્ત થાય.
૫૫૦મો પત્ર છે એ ૫૪૮માં પત્રમાં છેલ્લી લીટી લખી છે, કે કાંઈક આ પત્ર અધૂરો છે જે ઘણું કરીને આવતી કાલે પૂરો થશે.” એ પત્ર એમણે બીજે દિવસે નહિ ને ત્રીજે દિવસે લખેલો છે.
ગઈ કાલે તમારું લખેલું પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે પત્ર લખ્યું છે તે તમને પ્રાપ્ત થયું હશે. તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે; અથવા વિશેષ કરી વિચારવાનું બને તો સારું. એ પત્ર અમે સંક્ષેપમાં લખ્યું હતું, તેથી તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય, પૂરતું સમાધાનનું કારણ ન થાય એ માટે છેવટે તેમાં લખ્યું હતું... આ છેલ્લી લીટી. કે આ પત્ર અધૂરું છે. અને તેથી બાકી લખવાનું આવતી કાલે થશે.” એમ છેલ્લે લખ્યું હતું.
આવતી કાલે એટલે ગઈ કાલે પત્ર લખે છે એમાં પરમ દિવસે. આવતી કાલે એટલે ગઈ કાલે તે પત્ર લખવાની કંઈક ઇચ્છા છતાં આવતી કાલે એટલે આજે લખવું તે ઠીક છે, એમ લાગવાથી. એમ ગઈ કાલે લાગેલું કે આવતી કાલે લખવું ઠીક છે એમ લાગવાથી ગઈ કાલે પત્ર લખ્યું નહોતું. આજે લખું છું. આટલો ખુલાસો કર્યો. એક દિવસ ફેર લખ્યો એમાં આટલો ખુલાસો કર્યો. સહેજે એમ લાગ્યું કે આજે નહિ હવે, કાલે એકદિવસ રહીને લખીશ.
ગયા પરમદિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશયલખ્યા છે... જોયું? કેટલીક વાતો આશય ગંભીરતાની લખી છે તે વિચારવાન જીવને આત્માના પરમહિતસ્વી થાય તેવા આશય છે. એ પણ મુમુક્ષુજીવને વિચારવાન જીવને એના આત્માનું ઘણું કલ્યાણ