________________
પત્રાંક-૫૪૯
૯૩
પૂજ્ય ભાઈશ્રી :– બેય જગ્યાએ કરે. સામા હોય એને કરે, બીજા ને કરે. ગમે ત્યાં
કરે. એમાં એની મર્યાદા શું છે ? ગમે ત્યાં કરે. સ્પષ્ટ ખુલ્લી વાત છે.
મુમુક્ષુ :– ‘ગુરુદેવ’ કેટલા પડખા ખોલીને બતાવે !
=
પૂજ્ય ભાઈશ્રી :– હજારો પડખા ખોલીને વાત કરી છે. ક્યાંય જીવ ભૂલે નહિ. એનો ‘અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા યોગ્ય છે, અને જ્ઞાનીના નિશ્ચયે તે અલ્પ કાળમાં અથવા સુગમપણે બને..' બને જ. ન બને એવું નથી. ‘એ સિદ્ધાંત છે;...' એમ જ બને. જો જ્ઞાનીપુરુષનો નિશ્ચય થયો હોય તો અલ્પકાળમાં આમ બને અને સુગમપણે આમ જ બને. એનું આત્માનું હિત થયા વિના રહે નહિ. અલ્પકાળમાં સુગમપણે આત્મહિત તે જીવ સાધે, સાધે ને સાધે જ. એક જ પેરેગ્રાફ લેવો હતો ને ? બાકી તો બધું વંચાય ગયું છે.
પત્રાંક-૫૪૯
માકુભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિષે અધીરજથી, આર્ત જેવાં પરિણામથી, પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં, રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કારણ છતાં, જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે ? તેવા વિકલ્પને તમ જેવા પુરુષ મોળો નહીં પાડી શકે, તો આ દુષમકાળમાં કોણ સમજીને શમાઈ રહેશે ?
કેટલીક રીતે નિવૃત્તિને અર્થે, અને સમાગમને અર્થે તે ઇચ્છા રાખો છો તે વાત લક્ષમાં છે; તથાપિ એકલી જ જો તે ઇચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિહોવા યોગ્ય ન હોય.
માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી. જેમ થાય તેમ જોયા કરવું એ જ યોગ્ય છે. આ વિષે જેટલો ઠપકો લખવો જોઈએ તેટલો લખ્યો નથી, તો પણ વિશેષતાથી આ ઠપકો વિચારશો.
પત્રાંક-૫૪૯, પાનું-૪૪૨. એ પણ ‘સોભાગ્યભાઈ’ ઉ૫૨નો પત્ર છે. માકુભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિષે અધીરજથી, આર્ત જેવા