________________
પત્રાંક-૫૪૮
પૂજ્ય ભાઈશ્રી:-એ બધા આવી ગયા. મુમુક્ષુ - અને જે નથી તે અસત્યમાં આવી ગયા.
પૂજ્ય ભાઈશ્રી :- તે અસત્યમાં આવી ગયા. બધા. એક એક પડખેથી. પછી એકલા દેવ-ગુરુ-શાસ્ત્ર નહિ, કોઈપણ ન્યાય આવે તો ન્યાયના વિષયની અંદર સત્ય અસત્યના બે ભાગ પડી જાય. ન્યાય અને અન્યાય, ન્યાય અને અન્યાય. ન્યાયનો કોઈપણ વિષય હોવો જોઈએ. જેટલો ઉદય સામે આવે એટલો.
મુમુક્ષુ - બધા એક ગુરુના શિષ્યો છે, એક જગ્યાએ સ્વાધ્યાય કરવાવાળા છે આમાં પણ વિવેક...
પૂજ્ય ભાઈશ્રી - એની અંદર પણ સંગ કોનો કરવો એ તો વિવેક કરવો પડશે. ને? એની અંદર આવે એટલે બધા એક ગુરુના શિષ્ય નથી થઈ જતા. સદ્ભાવના રાખે કે પામે, માર્ગને બધા પામે એવી સદ્ભાવના રાખે. રુચિ કોની રાખવી ? અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે એમ કહ્યું છે. સંગની રુચિ જેને કહેવામાં આવે છે. એ મળતા રાજી થાય,પ્રેમ થાય, એને પ્રીતિ થઈ આવે. સારું થયું તમે અમને મળ્યા. એની અંદરતો એણે વિવેક કરવો પડે.
મુમુક્ષુ -બહારમાં શિષ્ટાચારતો દેખાડવી પડે.
પૂજ્ય ભાઈશ્રી - શિષ્ટાચાર બીજી વાત છે. રુચિ-પ્રીતિ થવી એ બીજી વાત છે. એ તો લૌકિક વ્યવહાર છે. આ અલૌકિક વ્યવહાર છે. લૌકિક વ્યવહાર તો લૌકિક વ્યવહારની રીતે ચાલે. ઠીક છે. એથી કાંઈ રુચિ-પ્રીતિ થઈ જતી નથી.
મુક્ષુ-એ પણ સરળ ભાવે હોવો જોઈએ. પૂજ્ય ભાઈશ્રી:- સરળ ભાવે એટલે? મુમુક્ષુ -લૌકિક વ્યવહારમાં સરળતા હોવી જોઈએ? પૂજ્ય ભાઈશ્રી:-હા સરળતા તો અરસપરસ હોય. સરળતા તો મુખ્ય વાત છે. મુમુક્ષ-આ બધી ભેદરેખાઓ તો અંદરમાં જ રહે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. ભેદરેખાઓ અંદરમાં રહે છે. બહારની પ્રવૃત્તિમાં તો એ ભેદ ક્યાંથી દેખાય. એ તો પરિણામનો વિષય છે. અંદરનો એટલે પરિણામનો વિષય
મુમુક્ષુ -મુમુક્ષુ એ ભેદરેખા જાણી ન શકે.
પૂજ્ય ભાઈશ્રી - શું કરવા ન જાણી શકે? જ્ઞાનીનો સત્સંગ થયે અવશ્ય જાણી શકે. મુમુક્ષુને વિવેક ન ઊપજે એવું કોણે કહ્યું? મુમુક્ષુની ભૂમિકામાંથી જ વિવેક શરૂ