________________
૬૨
રાજહૃદય ભાગ-૧૧ અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય અને ક્રમશઃ પછીના રાગ-દ્વેષ પણ નાશ પામે.
મુમુક્ષુ – આમાં તો બહુવિચાર કરવાનો આવે છે? પૂજ્ય ભાઈશ્રી:-હા. ઘણો વિચાર કરવો પડે. મુમુક્ષુ -કારણ કે જો વિવેકન રાખે તો ક્યાંનો ક્યાં ગયા જવાય.
પૂજ્ય ભાઈશ્રી:-ક્યાંનો ક્યાં વયો જાય પત્તો ન ખાય. એના પરિણામની એને જ ખબર ન પડે કે કેટલી હદ સુધી મારા પરિણામ બગડ્યા. એને ખબર ન પડે..
મુમુક્ષુ – આમ લાગે કે આ બધું બરાબર મેળવાળું છે. તોપણ અંદરમાં કોઈ મોટી ભૂલ હોય તો બહુ મુશ્કેલ થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી - બહુ મુશ્કેલ થઈ જાય અને એવા વિરાધનાના પરિણામ થાય તો અનંત કાળ બગડી જાય. વર્તમાન ભવ તો બગડી જાય પણ આગામી અનંત કાળ બગડી જાય. એવો પ્રસંગ છે. કેમકે પછી તો સૂઝબુઝ રહે એવી પરિસ્થિતિ જનહિ રહે. પછી તો જ્ઞાનને જે આવરણ આવશે અને જ્ઞાનની જે મૂંઢતા ઊભી થશે એમાં તો તિર્યંચમાં જાશે, અસંજ્ઞી થાશે. પછી કયાં વિચારશક્તિ રહેવાની હતી? પછી તો પરિણામમાં દિવસે દિવસે દિવસે દિવસે... એની અશક્તિ વધતી જવાની અને પરિણામની હિનતા પણ વધતી જવાની, હિણા પરિણામ વધતા જવાના. એટલે અહીંયાં વિવેક ચૂક્યો (એની તો) ભયંકર ભૂલ થઈ ગઈ.
મુમુક્ષુ -આમાં તો મુમુક્ષુ મુમુક્ષમાં પણએમાં પણ વિચાર કરવો પડે.
પૂજ્ય ભાઈશ્રી -બહુજ વિચાર કરવો પડે એવું છે. પગ મુકતાવિચાર કરવો પડે એવો કાળ છે. એક પગલું ભરતા વિચાર કરવો પડે એવો કાળ છે. ઘણો વિષમકાળ છે.
મુમુક્ષુ -અનંતાનુબંધી કર્મ ખપી જાયકેનવાન બંધાય? પૂજ્ય ભાઈશ્રી ખપી જાય પછી નવા ન બંધાય. નહિતર તો જ્યાં સુધી ન ખપે ત્યાં સુધી તો નવા બંધાવાનું ચાલુ જ રહે. એટલે કે જ્યાં સુધી ચતુર્થ ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન, સ્વાનુભવ સુધી ન પહોંચે ત્યાં સુધી બધાને અનંતાનુબંધી ચાલુ જ હોય. એમાં અનંતાનુબંધીનો નાશ થયો નથી. અહીં જૂના નાશ થાય તો નવા પણ નાશ થાય. બેય. જૂના નાશ થાય એટલે કાં તો અનુદય રહે, કાં તો ક્ષય થાય. એટલે ઉપશમ અને ક્ષય (થાય).
મુમુક્ષુ – સત્યમાં દેવ-શાસ્ત્ર-ગુસપુરુષ જે સાચા હોય એ બધા સત્યમાં આવી ગયા?