________________
૬૦
રાજય ભાગ-૧૧
થઈ જાય છે. એ પરિસ્થિતિ છે.
પહેલા પેરેગ્રાફમાં અધવચથી છે. પણ સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને અન્ય યોગી એટલે મુનિરાજ હોય કે ત્યાગી હો, પંચમ ગુણસ્થાનમાં કે જ્ઞાની ચતુર્થ ગુણસ્થાનવર્તી હો “જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુખ હોય નહીં. એટલે પ્રતિકૂળતા હોય નહિ. એમ સિદ્ધાંત નહોઈ શકે એવો સિદ્ધાંત ન હોઈ શકે કે જ્ઞાની થયો એટલે એને બધી અનુકૂળતા થઈ જાય. એવો કોઈ સિદ્ધાંત ન હોઈ શકે. એને પણ પૂર્વકર્મ અનુસાર રોગાદિની ઉત્પત્તિ થાય, દરિદ્રતા આવે અથવા બીજા અનેક પ્રકારના પ્રતિકૂળ પ્રસંગો કુદરતી, મનુષ્યકૃત, તિર્યચકૃત કોઈપણ પ્રકારે ઉપસર્ગ પરિષહ આવવાનો સંભવ છે.
મુમુક્ષુ-દુઃખનું વેદનહોય?
પૂજ્ય ભાઈશ્રી -દુઃખનું વેદન ગૌણપણે હોય છે, સુખનું વેદન મુખ્યપણે હોય છે. તેથી જ્ઞાની દુઃખી નથી અને સુખી છે એમ કહેવામાં આવે છે. મુખ્ય કારણ એ છે. - તો પછી અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય... જુઓ ! પોતાને સાથે લીધા. એમ નથી કહેતા કે હું બહુ મહાન થઈ ગયો છું. અમને કે તમને. આપણે તો સામાન્ય છીએ, એમ કહે છે. મોટા મોટા યોગીઓ, સર્વજ્ઞો એની પાસે આપણે કોણ ? એમ કહે છે. અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય.” હજી તો આપણે સામાન્ય સત્સંગમાં પ્રવર્તીએ છીએ, બીજું કાંઈ આગળનું માની લેવા જેવું નથી. ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવા જોઈએ. હવે આપણને દુઃખ જ ન આવવા જોઈએ, સંસારની કોઈ પ્રતિકૂળતા જન આવવી જોઈએ. “એમ માનીએ તો પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે. કેમકે કેવળજ્ઞાનમાં તો એમ વાત આવી છે કે જીવ જે કર્મઉપાર્જન કરે એ એને ભોગવ્ય છૂટકો છે. તો તો પછી બંધ-મોક્ષની કોઈ વ્યવસ્થા જ નહિ રહે. અને બંધ-મોક્ષની વ્યવસ્થા કેવળજ્ઞાનની અંદર સ્પષ્ટ કરેલી છે. એ કેવળજ્ઞાન પર્વતની વાતનિષ્ફળ ઠરશે. કેવળજ્ઞાન પણ ખોટું ઠરશે, એમ કહે છે.
કેમકે ઉપાર્જિત પ્રારબ્ધ અર્થે નાશ પામે...” ભોગવ્યા વિનાનું નસીબ થઈ જાય. “તો પછી સર્વમાર્ગ મિથ્યા જઠરે. બંધનો માર્ગ અને મોક્ષનો માર્ગ બેય મિથ્યા કરે. જીવ બંધાય છે એ પણ મિથ્યા કરે, જીવ મુક્ત થાય છે એ પણ મિથ્યા ઠરશે. એ તો બંને અપેક્ષિત જ છે, બંધ અને મોક્ષ તો બંને અપેક્ષિત છે. બંધ-મોક્ષ બંનેના કાયદા કાનુન છે. અને એ કુદરતના કાયદા-કાનુન છે, વસ્તુના સ્વરૂપના કાયદા-કાનુન છે. એમાં કોઈને આદું-પાછું તોળવાનો, આદું-પાછું ન્યાય કરવાનો કોઈ પ્રસંગ કે પરિસ્થિતિ