________________
૫૮
રાજહૃદય ભાગ-૧૧ આરાધકભાવ છૂટી ગયો. આરાધકભાવ તો પોતાના સ્વરૂપ સાથે સંબંધ ધરાવે છે. બહારમાં નથી.
મુમુક્ષુ – જે શુભભાવનો નિષેધ વર્તતો હતો, આનો જ પૂજ્ય ભાઈશ્રી -આદર થઈ ગયો.નિષેધન રહ્યો. આદર થઈ ગયો.
જિજ્ઞાસાઃ-સપુરુષને કોણ ઓળખી શકે?
સમાધાનઃ-માત્ર સત્વરુષને જે ઈચ્છે તે તેમને ઓળખી શકે છે. બીજાનહિ. જે બીજાને પણ ઈચ્છે છે તે ક્યાંથી ઓળખી શકે? જેને સત્વરુષનું મૂલ્ય ભાસે, તે તેને માત્ર તેને જઈચ્છે છે.
અનુભવ સંજીવની-૧૩૫૮)
પ્રેમરૂપ નિર્મળ ભક્તિ મહાન પદાર્થ છે. ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ તેનાં ગર્ભમાં સમાય છે. તેથી ક્ષણમાત્રમાં સ્વરૂપ સધાય છે. આ ભક્તિ આત્મગુણ પ્રત્યેનો અનન્ય પ્રેમ છે, જે ઐક્યને સાધે છે, આત્મ-ગુણને સાધે છે.
(અનુભવ સંજીવની-૧૩૫૯)
નમ્રતાનું યથાર્થ સ્વરૂપ - બીજાઓ દ્વારા અનાદર પામવા છતાં, મદનો આવેશ (ના અભાવને લીધે) ન થવાથી, અભિમાનનો અભાવ તે ખરું માર્દવ છે. વર્તમાન જાતિઆદિની મુખ્યતા માર્દવને લીધે થતી નથી.
(અનુભવ સંજીવની–૧૩૬૦)