________________
૬૪
ચજહૃદય ભાગ-૧૧ થાય છે.
મુમુક્ષુ-દીકરા દીકરી પરણાવવા હોય તો બધી ભેદરેખા જાણી લે છે. અહીંયાં જનથી જાણતા.
પૂજ્ય ભાઈશ્રી :- “ગુરુદેવ દગંત આપતા હતા. એક દીકરાનું સગપણ કરવું હોય અને ચાર ઠેકાણેથી કન્યાની Offer આવી હોય -પ્રસ્તાવ આવ્યો હોય તો પછી ઘરના બધા ડાહ્યા થાય. કેટલા? નિર્ણય ભલે ઘરના મુખ્ય માણસ લે પણ એ ઘરના બધાય ડાહ્યા થાય. બધા પોતાનું ડહાપણ વાપરે, હોં! અહીંયાં આમ ન કરતા, આનું જરાક આમ છે, આનું જરાક આમ છે, ફલાણાનું આમ છે, આનું આમ છે, આનું આમ
મુમુક્ષુ - છોકરાની ચાર પેઢી જોવે, છોકરીની મોસાળની, મામાની બધું જ જોવે. સાતે સાત પેઢી (જોવે), અહીંયાં બધું ચાલે.
પૂજ્ય ભાઈશ્રી:- અહીંયાં કહે કે મને ખબર ન પડે. હું સમજું, ભાઈ! મને કાંઈ બહુ ખબર પડતી નથી. ખબર પાડવી નથી કે ખબર પડતી નથી તને ? સાચી વાત શું છે ? જ્યાં પોતાના લાભ-નુકસાનનું અને હિત-અહિતનું પ્રયોજન હોય ત્યાં જીવનો, જ્ઞાનનો ઉપયોગ કામ કરે, કરે ને કરે જ. ન કરે એવું બને નહિ. બને જ. એમાં ક્યાંય શીખવાડવું પડતું નથી. એના માટે કોઈ નિશાળ નથી, એના માટે કોઈ Tution નથી, એના માટે કોઈ Classચાલતા નથી. જીવ બધું શીખી લે છે. આપોઆપ જ શીખી લે છે. એ બધા ચાર સંજ્ઞાના સંસ્કાર લઈને આવ્યો છે અને અનાદિથી પ્રવર્તે છે.
મુમુક્ષ-પરોક્ષ લાભદેખાતો નથી.
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. આ તો પ્રત્યક્ષ રોકડો જ છે. શાંતિ અને અશાંતિ થાય એવો. આ તો રોકડિયો વેપાર છે. ધર્મનો, અધર્મનો બંને વેપાર રોકડો છે. અશાંતિ થાય અને શાંતિ થાય. પરોક્ષ શેનો ? પ્રત્યક્ષ લાભ થાય. જો પોતે સન્માર્ગ બાજુ આવે તો આત્માને શાંતિ થવા લાગે છે, ઊંધે રસ્તે જાયતો આત્માને અશાંતિ થવા લાગે છે.
મુમુક્ષુ – એને ભાવના રહે છે કે બધા જીવ પામે. આ એક ભાવના મુમુક્ષુના હૃદયમાં ખુણામાં રહે, તો એ ભાવનામાંથી Automatic વ્યવહાર જે છે, એ ગમે તે મુમુક્ષુ પ્રત્યે કે ચાહે કોઈ પુરુષનો વિરોધી હોય કે પક્ષવાળો હોય એના પ્રત્યે એને સજ્જનતાનો વ્યવહાર Automaticરહેવાનો, એ ભાવનામાંથી ઉત્પન્ન થાય.
પૂજ્ય ભાઈશ્રી:- સજ્જનતા–સરળતા બેય રહે. એમાં કાંઈ પ્રશ્ન નથી. એમાં કાંઈ પ્રશ્ન નથી. કેમકે વ્યક્તિગત તો કાંઈ કોઈની સાથે વિરોધ, વેર એ પ્રકાર જ નથી. એની