________________
પત્રક-૫૪૮
૬૫ જે દુષિત વૃત્તિ છે એનો નિષેધ છે. આત્માનો નિષેધ નથી. આત્મા તો પરમ પવિત્રતાનો પૂંજ છે. એનો નિષેધ કેમ થાય ? એ તો પરમાત્મા છે. એનો તો નિષેધ કરવાનો પ્રશ્ન નથી. એના આત્માની દૂષિત વૃત્તિ એના આત્માને તો નુકસાનકારક છે અને બીજાને પણ નુકસાનમાં જનિમિત્ત થાય છે. એનો નિષેધ છે. અનિષ્ટનો નિષેધ છે. એ આત્મિક અનિષ્ટનો નિષેધ હોય છે).
મુમુક્ષુ - એમાં જે મુખ્ય માણસો હોય, જે Leader પણે કરતા હોય, એની બાબતમાં પણ સાવધાની તો આવી જ જાય.
પૂજ્ય ભાઈશ્રી:- હા. સાવધાની આવી જાય એટલે શું કહેવા માગો છો ? પોતે એનો સંગ ન કરે, પોતે એનો સંગનકરે.
મુમુક્ષુ –પોતે એનો સંગન કરે. કોઈ સલાહ આપે તો સાવધાનીથી એની સલાહ ઉપર વિચાર કરે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ તો ઠીક છે. એ તો સત્ય-અસત્ય વિવેકનો અર્થ શું છે? કે પારમાર્થિક લાભ શું છે અને પારમાર્થિક નુકસાન શું છે એનો વિવેક મુમુક્ષુને જાગે છે. બહુ વિશાળ વિષય છે. સત્ય-અસત્યનો વિવેક-શબ્દ તો આટલા ત્રણ જ વાપર્યા છે, એનો તો ઘણો વિશાળ વિષય છે. એટલે સીધી વાત છે. બે જ વિભાગ છે. આત્માને હિતનું અને આત્માને અહિતનું.
મુમુક્ષુ -આજેવિવેકની ભૂમિકા છે એ તો બહુ છૂળ ભૂમિકા છે. પૂજ્ય ભાઈશ્રી -ધૂળ એટલે?
મુમુક્ષુ –આ તો સ્થૂળ પરિણામમાંથી ખ્યાલ આવી જાય એવી ભૂમિકા છે. આમાં હજી માણસને વિવેકન ચાલતો હોય.
પૂજ્ય ભાઈશ્રી - સ્વચ્છંદમાં તો ચાલવાનો સવાલ જ નથી. એ તો છે જ. સ્થૂળ અવિવેક હોય એને સૂક્ષ્મ વિવેક હોય એ વાત તો વિચારવા જેવી નથી.
મુમુક્ષુ - સરળમાં સરળ રસ્તો આ છે. આ મુમુક્ષુ... એને કયાં ખબર હતી, ગુરુદેવ શું છે?
પૂજ્ય ભાઈશ્રી:- સૌથી સારો વિવેક એ. મુમુક્ષુ – સારો વિવેક આ છે કે પુરુષને ગોતે, એ જે કહે એ માન્ય. પૂજ્ય ભાઈશ્રી - પુરુષની આજ્ઞાએ વર્તે એ એને પરમ વિવેક જાગ્યો છે. એટલે ઘણી જગ્યાએથી બચી જશે.
મુમુક્ષુ -બાકીધાર્મિક બાબતમાં કોઈપણ Issue હોય.