________________
૭૪
રાજહૃદય ભાગ-૧૧ વીતરાગ થાય, પૂર્ણ વીતરાગ થાય. આના ફળમાં જ્ઞાનીના સત્સંગે પૂર્ણ વીતરાગ થાય. એક અસત્સંગની રુચિટળે ત્યાંથી માંડીને પૂરેપૂરો વીતરાગ થાય, સર્વજ્ઞ વીતરાગ થાય એ બનવા યોગ્ય છે. અને જ્ઞાનીના નિશ્ચયે તે અલ્પકાળમાં...’ બનવા યોગ્ય છે નહિ, અલ્પકાળમાં તે બનવા યોગ્ય છે, સુગમપણે તે બનવાયોગ્ય છે એ સિદ્ધાંત છે;” ત્રણે કાળે આ અફર સિદ્ધાંત છે.
મુમુક્ષુ – એક શબ્દ વચ્ચે મૂકીએ તો જ્ઞાનીના નિશ્ચયે.
પૂજ્ય ભાઈશ્રી:- “જ્ઞાનીના નિશ્ચયે બહુ મહત્ત્વનો વિષય છે. જ્ઞાનીનો નિશ્ચય થવો એ બહુ મહત્ત્વનો વિષય છે. અત્યાર સુધીમાં કાં તો ઓઘસંજ્ઞાએ જ્ઞાનીને ભજ્યા છે, કાં તો અજ્ઞાનીને ભજ્યા છે, કાં તો જ્ઞાનીની વિમુખતા કરી છે. એમ ધર્મના ક્ષેત્રમાં જ્ઞાનીનો નિશ્ચય નથી થયો ત્યાં અનેકવિધ પ્રકારે પોતે વિરૂદ્ધ ચાલ્યો છે અને આ માર્ગથી વંચિત રહેવાનું બની ગયું છે.
મુમુક્ષુ – આપે કીધું, પૂજાદિની કામના, ભવદુઃખ વહાલું ન હોય, એમાં શું બાકી રહ્યું ?મુમુક્ષુદશા માટે શું બાકી રહ્યું?
પૂજ્ય ભાઈશ્રી-કાંઈ બાકી ન રહ્યું. બરાબર છે.
મુમુક્ષુ –આ બે સાથે સાથે છે? ભવદુઃખ વહાલું અને પૂજાદિની કામના બે સાથે જ ચાલે?
પૂજ્ય ભાઈશ્રી - સાથે જ ચાલે છે. પણ પૂજાદિની કામનામાં તો ખબર પડે પણ ભવદુઃખ વહાલામાં તો આરાધના અને વિરાધના બે બાજુ જવું પડે છે. વિરાધનાથી ભવદુઃખ છે. વિરાધના નથી થતી. આરાધક-વિરાધક પરિણામનો દૃષ્ટિકોણ એને હાથમાં આવવો જોઈએ. એનું નામ સત્ય-અસત્યનો વિવેક છે. લ્યો, એ અઢી લીટીમાં બહુ વાતો કરી.
મુમુક્ષુ-પહેલા સવા બે લીટી આવી, પછી આ અઢી લીટી આવી. પૂજ્ય ભાઈશ્રી:-હા.
તથાપિ દુખ અવશ્ય ભોગવ્ય નાશ પામે એવું ઉપાર્જિત છે તે તો ભોગવવું જ પડે એમાં કાંઈ સંશય થતો નથી. કેટલાક તીવ્ર પરિણામથી જાણી જોઈને દોષ કરેલા હોય, સમજી-બૂઝીને દોષ કરેલા હોય, એના તો ફળ ભોગવ્યા વગર છૂટતા જ નથી. કેમકે એના પરિણામ ઘણા થયા હોય. અજાણ્યે થયેલા પણ ભોગવવા પડે છે, તો જાણીને કર્યા હોય એ તો ભોગવ્યા વગર ચાલે નહિ.
“આ વિષે વધારે સમાધાનની ઇચ્છા હોય...... કેમ કે આ તો બધી General