________________
૬૬
ચજહૃદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી - કોઈપણ Issue હોય. સત્પરુષ કઈ બાજુ છે એ બાજુ (રહે) એટલે વાત પૂરી થઈ ગઈ. બીજી ખબર ન પડે પણ આટલી ખબર પડે તો ઘણી જગ્યાએથી બચી જાય.
મુમુક્ષુ -૯૦ટકા તો પૂછવાની જરૂર નહિ પડે. સત્પરુષ જ્યાં ઊભા છે ત્યાં પોતે ઉભો છે.
પૂજ્ય ભાઈશ્રી:- અથવા પૂછી લે. એ ક્યાં ના પાડે છે ? સત્પરુષ ક્યાં ના પાડે છે કે આ બરાબરકે આ બરાબર?મને ખબર પડતી નથી. મારે તો આપની આજ્ઞાએ ચાલવું છે. વાત પૂરી થઈ ગઈ. સત્પરુષ કહે એ પ્રમાણે ચાલ્યો જા.
મુમુક્ષુ - સત્વરુષોની ઘણી નમ્રતા, સપુરુષના પ્રકારમાં ઘણો ફરક હોયને?
પૂજ્ય ભાઈશ્રી:-પણ એ તો હવે એવું છે કે જ્યાં જીવને ગરજ છે ત્યાં બધે નમ્રતા આવે જ છે. ઢેઢ-ભંગીની જરૂર પડેને તો એની પણ ગરજ કરે છે.
મુમુક્ષુ-વોટ લેવા જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- વોટ દેવા જાય છે. મોટો Prime minister હોય તો આદિવાસી અને ભંગીનો પક્ષ કરે છે. શું કરવા કરે છે કેમકે એને ગરજ છે. દિલ્હીના તખ્તી ઉપર બેઠા પછી, ગાદી ઉપર બેઠા પછી એ ભંગીના અને આદિવાસીના શું કરવા વખાણ કરે છે? જીવને જ્યાં લાભ લેવો છે અને જ્યાં ગરજ છે ત્યાં બધી નમ્રતા કરતા આવડે છે. તો પછી જ્ઞાની પાસે એને નમ્રતા કરવામાં શું વાંધો આવી જાય છે ? સીધી વાત છે.
મુમુક્ષુ - જ્યારે પુરુષની સલાહ લેવા જાય છે ત્યારે એક અભિપ્રાય તો નક્કી કરીને જ જાય છે પછી એની નમ્રતા ન રહે એ તો બને નહિ. પૂજ્ય ભાઈશ્રી કેવી રીતે બને ? આવી જ જાય, સહેજે આવે.
અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા યોગ્ય છે, અને જ્ઞાનીના નિશ્ચયે તે અલ્પકાળમાં અથવા સુગમપણે બને એસિદ્ધાંત છે.... જો જ્ઞાનીની ઓળખાણ સુધી પહોંચે તો એમાં તો જરા ઉપયોગને ઓળખવામાં ઘણી તૈયારી હોય એ જ ઓળખી શકે છે. પછી તો એ સત્યાસત્યનો વિવેક ન કરી શકે એવું બનતું નથી.
મુમુક્ષુ – આ બધું થાય છે એ ઓઘસંજ્ઞામાં? પૂજ્ય ભાઈશ્રી - ઓઘસંજ્ઞામાં તકલીફ છે. બધી તકલીફ ઓઘસંજ્ઞામાં છે. મુમુક્ષુ – ઓછી નમ્રતા ગણો, ઘણી નમ્રતા ગણો. આ બધા જ પ્રકારોતર ફેર પડે