________________
થઈ ગયો
છે એટલે
માં
પત્રાંક-૫૪૮
પ૭ ધર્મ. ઉપયોગ બદલાય જાય છે. દેહ ઉપરથી જ્ઞાનનો ઉપયોગ છૂટી ગયો. પણ આટલી બધી પીડા હોય અને દેહ ઉપરથી ઉપયોગ છૂટે? હા, છૂટે. એક સંયોગના અવલંબને છૂટી જાય તો આ તો અસંગતત્ત્વ પોતે જ છે. ઓલું તો પરદ્રવ્ય છે. અનાદિથી જે પોતાના સિદ્ધપદનો વિયોગ થયો છે એ સિદ્ધપદનો ભેટો થયો છે. એને છોડે નહિ એમાં શું મોટી વાત છે ? કાંઈ મોટી વાત નથી. સમજે તો સહજ સમજાય એવી વાત છે. ન સમજાય એવી વાત નથી કાંઈ.
પ્રશ્ન:- શુભની રુચિમાં પુરુષાર્થ તો...
પૂજ્ય ભાઈશ્રી – પુરુષાર્થ ઊલટો થઈ ગયો. શુભની રુચિમાં પુરુષાર્થ વિધી ગયો). રુચિ અનુયાયી થયું એટલે પુરુષાર્થ ઉલટો થઈ ગયો. જ્યારે માત્ર ચારિત્રમોહના શુભભાવમાં પુરુષાર્થ એમ ને એમ ચાલુ રહે છે, એટલો ને એટલો ચાલુ રહે છે. એમાં પોતાનું સ્તર છોડીને ઊંધો નથી થતો. પુરુષાર્થ દિશા નથી બદલતો. બાકી તો તારતમ્ય ભેદેનિર્વિકલ્પને સવિકલ્પમાં, શુભમાં અને અશુભમાં થોડો તારતમ્ય ભેદ છે.
મુમુક્ષુઃ–પુરુષાર્થની દિશા બદલાય જાય છે?
પૂજ્ય ભાઈશ્રી - દિશા બદલાય છે. અશુભમાં જાય તો તારતમ્યતામાં એથી મંદ થાય. શુભમાં મંદ થાય અને શુદ્ધોપયોગમાં તીવ્ર પુરુષાર્થ હોય તો જ શુદ્ધોપયોગની નિર્વિકલ્પ દશા થાય. એમ તારતમ્ય ભેદે ભેદ થાય પણ દિશા ન ફરે, અવલંબન ન બદલાય. એ “સોગાનીજીએ ઘણી વાતો લીધી છે. ૬૪૫ ચર્ચામાં એ બધા મુદ્દા ઘણા ચર્ચાતા હતા.
મુમુક્ષુ – શુભની રુચિ વધે અને મિથ્યાત્વમાં આવે. આનું આચરણ કેવું? આને દેવ-શાસ્ત્ર-ગુરુ-સપુરુષનું આરાધન છૂટી ગયું?
પૂજ્ય ભાઈશ્રી – દેવ-શાસ્ત્ર-ગુસપુરુષ પ્રત્યે તો એને શુભભાવ હોય છે. એમાં જશુભની રુચિ થઈ જાય છે. એને બીજા કાંઈ કુદેવને માને છે અને શુભની રુચિ થાય છે એમ નથી લેવું હોય તો ભલે વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્રનું બાહ્ય આરાધન હોય. પણ જે રાગ છે એની રુચિ થાય છે. શુદ્ધાત્માની રુચિ છે એ પલટી મારી જાય છે.
મુમુક્ષુ -ઓળખાણપૂર્વક આરાધન હોય એનિશ્ચયપૂર્વકએઆરાધનછૂટીગયું? પૂજ્ય ભાઈશ્રી - હા, એ આરાધન છૂટી ગયું. એ તો અંતર આરાધન છે ને એ ક્યાં બહારનું આરાધન છે ? આરાધન તો અંતરનું છે. સ્વરૂપનું આરાધન છૂટી ગયું. વિરાધક ભાવમાં આવી ગયો. શુભભાવ રહી ગયો. ભાવમાં દેવ-ગુરુ-શાસ્ત્રની રુચિ રહી ગઈ. બહુમાનનો વિકલ્પ રહી ગયો પણ વિરાધકભાવ ઉત્પન્ન થઈ ગયો.