________________
પત્રાંક-૫૪૮ ઉપસ્થિત જ થતી નથી. પછી સામાન્ય જીવ હોય, તીર્થંકરનો જીવ હોય, ગમે તે હોય નહિ. એની સાથે કાંઈ ફેરફાર નથી. મુમુક્ષુજીવને ક્યાંથી શરૂઆત કરવી? કેવી રીતે આગળ વધવું? એટલો સિદ્ધાંતલે છે.
જ્ઞાનીના સત્સંગે...” મુમુક્ષુને જો જ્ઞાનીનો સત્સંગ મળે તો પ્રથમમાં પ્રથમ તેને અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે...” કુસંગ છોડી દે. જો એને ખરેખર સત્સંગ થયો હોય તો એ કુસંગ છોડી દે જૂનો સંગ એમ ને એમ રાખે, કેમકે અમારે પહેલેથી ઘણો સંબંધ ચાલ્યો આવે છે અને હવે અમારો સંબંધ ઘણો છે એટલે સંબંધ કાંઈ છોડાય નહિ, એને સત્સંગ થયો નથી. એને હજી સત્સંગ થયો જ નથી એમ સમજી લેવું. આ એક બહુ સારી વાત આ જગ્યાએ “શ્રીમદ્જીએ કહી છે.
“જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની ચિ...” ટળે, ટળે ને ટળે જ. અસત્સંગ અને કુસંગને એ છોડી જ દે. એને એ વાત રુચે જ નહિ. એની વાતો જ એને ન રુચે. ભાઈ! એ વાત નહિ. તો પછી અમારે ને તમારે કાંઈ હળવા મળવાનું રહેતું નથી. વાત કરવી હોય તો આત્માને હિત થાય એ કરો, બીજી વાતમાં અમને રસ નથી. આ વાત જરા સમજવા જેવી લાગે છે. આજે આપણા મુમુક્ષુઓમાં પણ આ પ્રકારની સમજણ ઓછી છે. કોનો સંગ કરવો, કોનો સંગ ન કરવો, કોની સાથે સંબંધ રાખવો, કોની સાથે તોડવો કે ન શરૂ કરવો? એ વિષયની અંદર ભાગ્યે જ વિવેક જોવામાં આવે છે. આત્માને બહુ મોટું નુકસાનનું કારણ છે.
મુમુક્ષુ - અહીંલક્ષણ બહુ સારું લીધું. સ્પષ્ટલક્ષણ લીધું. પૂજ્ય ભાઈશ્રી - સીધી જ વાત છે, કે જો તને સત્સંગની રુચિ થઈ હોય તો અસત્સંગની રુચિતને ટળ્યા વિના રહે નહિ.
જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે, સત્યાસત્ય વિવેક થાય...” સાચા-ખોટાને એ પારખી શકે, ઓળખી શકે કે આ સત્ય છે, આ અસત્ય છે. સત્યનું પ્રહણ થાય, અસત્યનું હેયપણું આવ્યા વિના રહે નહિ. આ સત્સંગનો લાભ છે. સત્યાસત્ય વિવેક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે,...” અનંત અનંતાનુબંધી છે એ સરવાળે નાશ પામે. પહેલા મોળા પડે, પછી નાશ પામે.
મુમુક્ષુઃ- આ સત્યાસત્યનાવિવેકમાં મધ્યસ્થતા આવી?
પૂજ્ય ભાઈશ્રી - સત્ય અસત્ય (વચ્ચે) વિવેક થાય ત્યાં મધ્યસ્થતા છે. ત્યાં મધ્યસ્થતા આવી ગઈ, સરળતા આવી ગઈ, બધું આવી ગયું. વિવેકમાં તો ઘણી વાતો