________________
રાજહૃદય ભાગ-૧૧ માણસ કેમ સાંભળવા બેસે છે ? કે બીજા સાંભળે છે માટે આપણે પણ સાંભળો. એવી રીતે કરી બેસે છે.
મુમુક્ષુ-બે દિવસ પહેલા તો આખું સોનગઢ ગામ બંધ હતું.
પૂજ્ય ભાઈશ્રી – સાતમને દિવસે ગુરુદેવની સ્વર્ગવાસની તિથિ હતી. લોકોએ બંધ પાળ્યો હતો. બજારો બંધ રાખે. એને એટલું માન આપ્યું તો એને પુરુષ મળ્યા કે નમળ્યા? વંદન કર્યા માટે પુરુષ મળ્યા કેનમળ્યા? એમની ઉપકારસ્તુતિ ગાઈ માટે સપુરુષ મળ્યાકેનમળ્યા?કે નહિ.
ઓળખાણ થયે, નિશ્ચય થયું અને માર્ગ આરાધ્ધ સત્પરુષ મળ્યા છે, નહિતર મળ્યા નથી. અને એ મળ્યા છે તો જીવનદર્શનમોહનીય કર્મનો અભાવ થયા વિના રહે નહિ. પછી ઉપશમથી અભાવ થાય કે ક્ષયથી અભાવ થાય, બંને અભાવ જ છે. ઉદયાભાવને અભાવ કહે છે. એટલું જ નહિ, દર્શનમોહનીય કર્મનો અભાવ થાય એટલું જ નહિ. “અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે” ખુલ્લું ઉઘાડું સત્ય છે, કે એ જીવને અનુક્રમે સર્વજ્ઞદશા પ્રગટ થાય, કેવળજ્ઞાનાદિ પ્રગટ થાય,નિર્વાણની પ્રાપ્તિ થાય, જન્મ-મરણનો અભાવ થાય, એ વાત પ્રગટ સત્ય છે. એ વાત દિવા જેવી ચોખ્ખી છે, એમ કહે છે. પ્રગટ સત્ય છે એટલે એ વાતમાં કાંઈ સમજાવવું પડે એ વાત અમને લાગતી નથી.
મુમુક્ષુ -પ્રગટ સત્ય છે..
પૂજ્ય ભાઈશ્રી – એટલે એના ઉપર તો આખો આધાર મુમુક્ષતાનો દોર જ એના ઉપર છે, કે જીવે ક્યાં સુધી મુમુક્ષતા કેળવવાની છે?જ્યાં સુધી સપુરુષની ઓળખાણ થાય ત્યાં સુધી. ભલે પુરુષ ચાલ્યા ગયા હોય, એમના વચનો તો છે ને ? શ્રીમદ્જીના વચનો છે, “ગુરુદેવના વચનો છે. એનાથી ઓળખાણ થાય છે? આ સવાલ છે, ચાલો. ભૂતકાળના સપુરુષ હોય તોપણ ઓળખાણ તો થઈ શકે છે. આ સપુરુષ જ છે, આ વાણી સપુરુષની જ છે.
મુમુક્ષુ – એમાં તો વિશેષ પાત્રતા હોય તો ઓળખી શકે. વિદ્યમાનને ન ઓળખી શકે તો ભૂતકાળના ઓળખવા માટે તો...
પૂજ્ય ભાઈશ્રી - એ વાત તો વધારે અઘરી છે, એ વધારે કઠિન છે, એમાં કાંઈ સવાલ નથી. પ્રત્યક્ષમાં તો જાગૃત ચૈતન્યની જે ચેષ્ઠા છે એને ઓળખવાની ત્યાં વધારે તક છે. એને પ્રત્યક્ષની અંદર ઓળખવાના વધારે સાધન છે. એટલા પરોક્ષની અંદર સાધન નથી.