________________
૫૧
પત્રાંક-૫૪૮ સાધન વિચારે છે. એ દર્શનમોહની તીવ્રતા વગર ન થાય. એમ છે. એ ગૃહીત અને અગૃહીતમાં ફેર પડે છે. અને જ્ઞાની હોય તો એને મિથ્યાત્વ જન થાય. એ ડોક્ટર પાસે જાય અને દવા લે તો એને માત્ર ચારિત્રમોહનો જ બંધ થાય. એને દર્શનમોહનો બંધ પણ ન થાય. જ્યારે જ્ઞાની છે એ જ્યોતિષ પાસે ન જાય. જ્ઞાની હોય તે જોષ જોવડાવવા ન જાય.
બીજું, આમાં જ્યોતિષમાં વર્તમાન ઉપરાંત ભવિષ્યનો વિષય વધારે છે. અહીંયાં તો વર્તમાન રોગ ઉદય થયો છે. એટલે કોઈ તો વર્તમાન પ્રતિકૂળતા માટે પણ જ્યોતિષ પાસે જાય છે પણ એની અંદર ભવિષ્યની વાત લંબાઈ છે. અને એ પરિણામમાં પાછો ઘણો ફેર છે. એટલે એની અંદર દર્શનમોહની તીવ્રતા કેવી રીતે થાય છે, એ અનુભવ કરવા જેવો વિષય છે. તર્ક કરતાં અનુભવ કરવા જેવો વિષય છે કે એવો વિચાર ક્યારે આવે છે? કેટલો લંબાઈ છે ત્યારે આવે છે? વ્યામોહકેટલો તીવ્ર થાય ત્યારે આવે છે? કારણ કે વર્તમાન પ્રતિકૂળતા છે એજ્યોતિષનો વિષય નથી, એ કોઈ જ્યોતિષનો વિષય નથી. પછી તો ઓલા ગપ્પા મારી દે. બાકી તો વર્તમાનમાં રીતસર કર્મનો ઉદય છે. ઓલો જે આવ્યા નથી એનો વિચાર કરવા જાય છે. એનો મોહ કેટલો તીવ્ર છે ? એનો દર્શનમોહ કેટલો તીવ્ર છે એ બતાવે છે. પછી એમાંથી જે વેપારી છે, જે જ્યોતિષ જોવે છે એ જોનાર તો વેપારી છે. અત્યારે, હોં! એક જમાનામાં જેની પાસે સાચું જ્યોતિષ હતું એ વિદ્યાનો વેપાર નહોતા કરતા. એ તો એવી રીતે કોઈ વખત એને ખ્યાલ આવે તો ભવિષ્ય ભાખી દે એટલું, એથી વધારે કાંઈ નહિ. આણે તો જોયું કે લોભિયા માણસો આવ્યા છે, ધૂતો ધૂતાય એટલા. એટલે પછી એમાં કુંડળીની અંદર પ્રહની તો વાત આવે છે. એટલે પછી કહે કે ભાઈ આ ગ્રહ છે એ તને નડે છે. પણ હવે એ તો કેટલા માઈલ દૂર છે. મંગળનો ગ્રહ અબજો માઈલ દૂર છે એ તને અહીંયાં ક્યાં નડવા આવ્યો? અને શનિ નડે છે. શનિ કયાંનો કયાંય છે. તને ક્યાંથી નડતો હતો ?પૈસા પડાવવા માટે પછી એને દોરા, ધાગા, પથરા બધું પહેરાવે પૈસા લઈ લે છે, બીજું કાંઈ નથી.
મુમુક્ષુ -આ શરીર તે હું એમ માને એ અગૃહીતમાં વાત જાય. પૂજ્ય ભાઈશ્રી:–અગૃહીતમાં જાય. મુમુક્ષ અને પૈસાથી સુખ છે એની કલ્પના કરે છે એટલે એ ગૃહિતમાં જાય.
પૂજ્ય ભાઈશ્રી:- પરથી સુખ છે એ અગૃહીતમાં છે. એમાં શરીર આવી ગયું, પૈસા આવી ગયા. બધી તમામ ચીજો આવી જાય છે. કોઈ બાકી નથી. પરથી સુખ છે. પછી એ પરની અંદર બધા ભેદ છે. શરીર છે, પૈસા છે, સગા-સંબંધી છે, મિત્રો છે એ