________________
૫૪.
રાજહૃદય ભાગ-૧૧ થતું નથી. એટલે અજ્ઞાનજાનિત કોઈ કર્મ પછી એ ઉપાર્જ નહિ. એટલે એને દર્શનમોહનીય ન બંધાય. જો જીવ ઉદાસીન થાય તો એ દર્શનમોહને ફરીને ન બાંધ. કેમકે એ પછી જ્ઞાની થઈ ગયો. એટલે એ અજ્ઞાનભાવે કોઈ કર્મ બાંધે એવું ન બને. એવું નથી બનતું. શું કહે છે?
તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું... એટલે દર્શનમોહ અને અજ્ઞાનથી જે કર્મ બંધાય એ કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત્ પૂર્વનુસાર...” હવે શું કહે છે કે ક્ષયોપશમ સમ્યગ્દર્શન થયું હોય. ઉપશમમાં તો કાળ જ જઘન્ય અંતર્મુહૂર્તનો છે. ક્ષાયિકને આ સિદ્ધાંત લાગુ પડતો નથી, જે અહીંયાં વાત કરશે તે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને લાગુ નથી પડતો. પણ આ કાળમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ નથી એટલે ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ હોય. એટલે ક્વચિત્ એમ લીધું. એટલે સર્વથા નહિ.
ક્વચિત્ એટલે સર્વથા નહિપૂર્વ અનુસાર, કોઈ એનું હોનહાર એવું હોય. કોઈ જીવને વિપર્યય ઉદય હોય. એટલે જે ઉપશમેલી મિથ્યાત્વની પ્રકૃતિ છે એ ઉદયમાં આવે.
ક્યારે ઉદયમાં આવે? કે આ જીવનો પુરુષાર્થ છૂટે અને વિપરીત પરિણામ થાય ત્યારે નહિતર ન આવે.
‘ગુરુદેવશ્રીને રાત્રિ ચર્ચામાં એકવાર આ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રાસંગિક છે એટલે યાદ આવ્યું, કે કોઈ સમ્યગ્દષ્ટિજીવ છે અને શા માટે મિથ્યાત્વમાં આવવાનું થયું ? એવું શું કારણ થયું? એના ભાવમાં. અહીં તો કર્મથી વાત લીધી છે. મોટા ભાગે એ વાત કર્મથી લેવામાં આવે. કેમકે મિથ્યાત્વપ્રકૃતિનો ઉદય થાય અને એ મિથ્યાત્વભાવ ન થાય એવું નથી બનતું. જ્યારે સમ્યક્ત્વભાવ છૂટે, પરિણામમાં વિપરીતતા આવે, ત્યારે આ મિથ્યાત્વકર્મ જે ઉપશમેલું અંદર હોય એ ઉદયમાં આવી જાય છે. એટલે દ્રવ્ય અને ભાવે બને મિથ્યાત્વની પરિસ્થિતિ ઊભી થાય છે. અને એ જીવ પાછો ફરીને મિથ્યાષ્ટિ, જેને સાદિ મિથ્યાષ્ટિ થયો એમ કહેવામાં આવે છે. પ્રશ્ન ભાવનો હતો. કર્મનો નહોતો. કેમ કે કર્મ તો આપોઆપ આવે છે અને આપોઆપ ઉપશમે છે. એમાં કાંઈ જીવની પહોંચ નથી. કાંઈ કરવાનું કર્તવ્ય પણ નથી. એનો કર્તાહર્તા થઈ શકતો પણ નથી. તો જીવને શું થયું કે જેને લઈને એને મિથ્યાત્વ આવ્યું? આ To the point આટલો પ્રશ્ન હતો.
ગુરુદેવે” એટલું જ કહ્યું કે એ જીવને ત્યાં શુભની રુચિ થઈ જાય છે. શું કીધું? શુભની રુચિ થઈ જાય છે. શુદ્ધાત્માની રુચિ છૂટીને શુભભાવની રુચિ થઈ. અશુભની ન કીધું. કેમકે એ તો અશુભમાં હજી આવતો નથી. જ્યારે સમ્યક પલટીને મિથ્યાત્વમાં