________________
૫૦
રાજહૃદય ભાગ-૧૧ ખાઈ ગયો. એ તો ચાલે જ નહિ. એ તો મારે જ ખાવાનું હતું. હવે એ મને પાછું આપી દ્યો. તો કહે, તને બીજી સુખડી કરી દઉં. (બાળકો કહે, નહિમારે તો એ જ જોઈએ. હવે એ કેવી રીતે થાય? કહો. માથું પછાડે તો મળી જાય ખરું? મારે એ બટકું જોઈએ. પણ કહે, એના બદલે તેને બીજા બે આપીએ. તો કહે ના, મારે એ જ જોઈએ. મારું શું કરવા ખાઈ ગયો? બાળકબુદ્ધિએ અશક્યને શકય કરવા માગે છે, કે મારું એ બટકું પાછું લાવ. શું કરવા ખાઈ ગયો ? એ ખોટી રીતે માથું પછાડવાની વાત છે. કાંઈ કરી શકતો નથી અને કરવું છે. જે અશક્ય છે એને શક્ય કરવું છે. રેતીમાંથી તેલ કાઢવું છે. સુખ નથી એમાંથી સુખ લેવું છે. જેમાં સુખ નથી એમાંથી સુખ લેવું છે).
મુમુક્ષુ -ભગવાન થઈને આવા ઊંધા વિકલ્પ કરે એ આશ્ચર્ય છે.
પૂજ્ય ભાઈશ્રી :- ખરી વાત છે. શ્રીગુરુ તો એમ જ કહે છે, ભાઈ ! હું તો તને ભગવાન કહીને બોલાવું છું તો કાંઈક તો સમજ હવે. બીજું કાંઈ નહિ તો મૂર્ખામી તો છોડ. ભગવાન થવાની શરૂઆત પછી કરજે પણ પહેલા મૂખમી તો છોડ હજી. એમ કહે છે. ઊંધાઈ તો મૂકી દે. પછી સવળું ચાલવું શરૂ થશે. ઊંધો એમને એમ રહે અને સવળા ચાલવાનું શરૂ થાય, એ ક્યાંથી બનવાનું હતું?
મુમુક્ષુ-રોગ મટાડવા માટે રોગી ડોક્ટર પાસે જાય, બીજા પ્રકારના રોગ...
પૂજ્ય ભાઈશ્રી - ઘણો ફેર રોગ મટાડવા માટે... ઠીક, પ્રશ્ન લીધો છે. કે રોગ મટાડવા માટે તો ડોક્ટર પાસે જાય છે. શરીરની રોગ, વેદના આદિ એ પણ એક પ્રતિકળતા જ છે ને ? તો એવી રીતે બીજી કોઈ પ્રતિકુળતા હોય એને મટાડવા માટે જ્યોતિષ પાસે જાય. તો બે સરખા ગણવા કેન ગણવા? પ્રશ્ન તો એમ છે ને ? ઠીક ના બે સરખા નથી. આમાં દર્શનમોહ છે જ્યોતિષ પાસે જાય છે એમાં) અને ઓલામાં ચારિત્રમોહ છે. મુખ્યપણે. પછી તો મિથ્યાષ્ટિને તો દેહતે હું છે એટલે દર્શનમોહ છે. પણ જે ગૃહીત થાય એવું નથી. અથવા તો કોઈ મિથ્યાદષ્ટિ ડોક્ટર પાસે જાય છે તો અગૃહીત રહે છે. અગૃહીતમાંથી ગૃહીત નથી થાતું. ઓલું તો અગ્રહિતમાંથી ગૃહીત થાય છે - તીવ્ર મિથ્યાત્વ થાય છે. એટલો ફેર છે.
મુમુક્ષુ - જે રોગ છે એ તો પૂર્વ કર્મના ઉદયને ભોગવવું પડે. આને ભોગવવું નથી જલ્દી મટે છે એટલા માટે ડોક્ટર પાસે જાય છે, એમાં અભિપ્રાયમાં શું ફેર છે?
પૂજ્ય ભાઈશ્રી:- અભિપ્રાયમાં એ ફેર છે કે દેહતે હું એ તો અનાદિથી અગૃહીત છે. એકેન્દ્રિયમાં હતો ત્યારે પણ એમ હતું અને પંચેન્દ્રિયમાં દેહતે અને રાગ તે હું એ તો અગૃહીત મિથ્યાત્વનો વિષય છે. અને ઓલો બુદ્ધિપૂર્વક એક નવું અનુકૂળતાનું