________________
૩૪
ચજહૃદય ભાગ-૧૧ નિર્ણય બદલાતો નથી. ધંધાની અનુકૂળતાઓનો એક વિકલ્પ નથી. છૂટવાનું એટલું જોર છે કે ધંધાની અનુકૂળતા બહુ સારી છે, એનો કોઈ વિકલ્પ નથી. આ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ:- અહીંયાં તો એવી પરિસ્થિતિ છે કે જે કામમાં લાભ નથી...
પૂજ્ય ભાઈશ્રી:- તો લાભમાં તો ખેંચી જ જાયને! પછી જેમાં લાભ નથી એમાં પણ રસ આવે છે તો લાભનો રાગ હોય એમાં કેટલો ખેંચી જાય?કેટલો ડૂબી જાય?
પ્રશ્ન:-કુતૂહલવૃત્તિ હોય...
પૂજ્ય ભાઈશ્રી – દિલ્હીમાં અત્યારે એનું તોફાન ચાલે છે. એનું કુતૂહલ રહ્યા કરે. આપણે કાંઈ લેવા-દેવા નથી. કોણે શું કર્યું? અને શું થયું? એ જીવને વધારાની નવરાશ છે. લાભ-નુકસાન હોય ત્યાં તો માન જોડાય જાય છે. અને એ તો કાંઈ નહિ જોડાવાનું એની પાસે બળ પણ નથી. પણ એથી વધારે પાછી જેને શું કહેવાય?પોતાને નુકસાન કરવાની બળવાન પરિસ્થિતિ પોતાને નુકસાન કરવાની બળવાન પરિસ્થિતિ, કે જેમાં પોતાને કાંઈ લેવા-દેવા નથી. એમાં પોતાની જાતને હોરી ધે છે. એ પરિસ્થિતિ
મુમુક્ષુ – આવું જાણવા માટે વિચાર આવે...
પૂજ્ય ભાઈશ્રી – રસ છે. રસ આવે છે કે નહિ? જાણવાનો રસ છે કે નહિ? આ રસ એને મારે છે. એ સ્વભાવરસ છે કે વિભાવરસ છે? કે વિભાવરસ છે. આ વિભાવરસ એના સ્વભાવરસને મારે છે. સીધી વાત છે. જ્યાં રસ છે ત્યાં આખે આખો. પકડાય ગયેલો છે. આખે આખો પકડાય ગયો છે એની ખાતરી શું છે? કે એના સ્વરૂપનું એણે વિસ્મરણ કર્યું છે. એ વખતે એના સ્વરૂપનું વિસ્મરણ વર્તે છે? કે સ્મરણ વર્તે છે? જાગૃતિવર્તે છે? અજાગૃતિ વર્તે છે. એટલે આખે આખો ડૂબે છે.
આ તો દિલ્હીની તો મોટી રાજગાદી છે પણ એક લોટામાંથી પ્યાલામાં પાણી કાઢવું હોય તો પણ જીવ રસ લે છે. આ તો સાધારણ કામ છેને?પ્યાલો બરાબર છે કે નહિ? સાફ થયેલો છે કે નહિ? એટલે એને પરિણામની અંદર ઝીણું... ઝીણું... ઝીણું... ઝીણું ઝીણું ઝીણો રસ (હોય છે). આખે આખો ડૂબી જાય. વાત તો (નાની) છે. આને આખો ડૂબી જાય છે. અને ઉદય તો સામાન્ય છે. તરસ લાગી, લાવ લોટામાંથી પાણી કાઢીને પી લઉં. સામાન્ય વિકલ્પ આવ્યો. પણ તું ડૂબ્યો કેટલો એનો કાંઈ વિચાર આવ્યો ? એ વખતે સ્વરૂપની જાગૃતિ જેવું કાંઈ ખરું ? વિસ્મરણ છે કે સ્મરણ છે એનો કાંઈ હિસાબ-કિતાબ, કાંઈ લેખું-જોખું કાંઈ થાય છે? કાંઈ નહિ ને. આંખો મીંચીને બધા ઉદયમાં ચાલ્યો જાય છે. ત્યાંથી માંડીને બધી પરિસ્થિતિ આત્માને ભૂલવાની જ કરે