________________
પત્રાંક-૫૪૭
૨૯
અંતર નિવૃત્તિ લઈને અસ્તિત્વ ખોજવાનું, અસ્તિત્વ શોધવાનું કરવામાં આવતું નથી. અને એથી સમ્યગ્દર્શનનું કારણ મળતું નથી, ઉત્પન્ન થતું નથી. આ સીધીસાદિ અને સાફ સાફ વાત છે.
મુમુક્ષુ :– ન્યાલભાઈએ કીધું છે ને જ્ઞાનીને ... જનથી.
-
પૂજ્ય ભાઈશ્રી :– હા. ન બેસે ને.
મુમુક્ષુઃ-...
પૂજ્ય ભાઈશ્રી :– એતો છે જ. અંતર નિવૃત્તિ વગર બહારમાં એટલો કરોળિયો જાળમાં ઘેંચાણો છે. બહારની પ્રવૃત્તિ છોડી દે છે અને એ તો છોડવી સહેલી પણ છે. ચાલો આ દુકાને હવે નથી જવું. એમાં કાંઈ બહુ વાંધો નથી આવી જતો. અને ઘણા છોડીને બેસી જાય છે. વિષય છે અંતર નિવૃત્તિનો. કરોળિયો અંત૨ પ્રવૃત્તિમાં છૂંચાણો છે એટલે અંત૨ નિવૃત્તિ લીધા વિના શોધ કેવી રીતે કરશે ? મુમુક્ષુ ઃ– અંત૨ નિવૃત્તિમાં શું કહેવા માગો છો ?
પૂજ્ય ભાઈશ્રી :- અંતર નિવૃત્તિ એટલે પોતાના આત્માની દરકાર (થવી). નહિત૨ ભાવમ૨ણ ક્ષણે ક્ષણે (ચાલી રહ્યું છે). અનંત જન્મમરણ દ્રવ્યમરણ ઊભું છે. એ બધી ગંભીરતા લઈને, વ્યવહારીક રીતે તો એક મરણની ગંભીરતા આવે છે કે નહિ ? કાલે જ પ્રસંગ બન્યો હતો. તમારા (દેરાસર) દાદાસાહેબમાં બની ગયો ને ? ૬૦ વર્ષની ઉંમરના (હતા). અમારી દુકાનની સામે સામે છે. ખાંડના વેપારી છે. તંદુરસ્ત
માણસ.
મુમુક્ષુ ઃ– ચાલુ વ્યાખ્યાનમાં જ...
પૂજ્ય ભાઈશ્રી :– ચાલુ વ્યાખ્યાનમાં હાર્ટફેઈલ થઈ ગયું. બેઠા બેઠા. સામે સામે દુકાન છે ને. (એક ભાઈએ) વાત કરી. સામેવાળા ભાઈ Off થઈ ગયા. (મેં કહ્યું), શું વાત કરે છે ? તો કહે હા.. કયાં થઈ ગયું ? ઘરે ? તો કહે ના. દાદાસાહેબના વ્યાખ્યાનમાં, મહારાજના વ્યાખ્યાનમાં બેઠા હતા. બેઠા બેઠા. ઉંમર ૬૦ વર્ષની. અમે લગભગ સ૨ખા દેખાઈએ. બે-ત્રણ વર્ષનો ઉંમરમાં ફેર શું દેખાય. તંદુરસ્ત મજાના. કોઈ દુબળા નહિ, એવા કોઈ ચરબી નહિ. કાંઈ નહિ. એવું પાછું કોઈ કારણ નહિ. કે ભાઈ બહુ નબળા હતા કે બહુ ચરબીવાળા (હતા), એવું કાંઈ નહિ. મધ્યમ જેને કહીએ એવું શરીર હતું. તંદુરસ્ત માણસ હતા.
મુમુક્ષુ :– જાડું નહિ.
=
પૂજ્ય ભાઈશ્રી :– જાડું નહિ. મધ્યમ.