________________
પત્રાંક-૫૪૭ વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ છે, કે તારો પૂર્વકર્મ. ઉદય હોય તો નિરસ પરિણામ ભોગવી લેજે, રસ લઈને ભોગવતો નહિ. એવો અંગીકાર કરી ઉદય દવા પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ.” પ્રવૃત્તિયોગ વેઠીએ છીએ. વેઠ કાઢીએ છીએ, એમ કહે છે. કાંઈ રસ નથી, કાંઈ લાભ દેખાતો નથી. સાવધાન છીએ એટલે બીજું મોટું નુકસાન નથી. પણ હવે આ વેઠ પૂરી થાય તો સારું. અહીં સુધી આપણે બે દિવસ પહેલા ચાલી ગયું છે. હવેના Paragraph ell.
“જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલાતો નથી,...” કહે છે? કે આ એક મુમુક્ષુની ફરિયાદ છે કે વાત સાચી છે, આ નિર્ણય બરાબર છે પણ ઉદય આવે છે ત્યારે નિર્ણય ફરી જાય છે. શા માટે એમ બને છે? કે એ નિર્ણય રાગે કરીને કર્યો છે, જ્ઞાન કરીને કર્યો નથી. આ વચનની અંદર બહુ સુંદર ધ્વનિ છે. નિર્ણય બે પ્રકારે થાય છે. રાગની પ્રધાનતાથી અને જ્ઞાનની પ્રધાનતાથી. ધર્મના ક્ષેત્રમાં પણ શુભરાગની પ્રધાનતાથી નિર્ણય લેવાનું થાય છે. એ નિર્ણયમાં એ જીવ ટકી શકતો નથી, વિચલિત થઈ જાય છે, ચલિત થઈ જાય છે અને એ નિર્ણયનો કોઈ લાભ મળતો નથી. એક ફરિયાદ આપણે ત્યાં કરવામાં આવે છે, કે આ બધું સાંભળીએ છીએ અને હા પાડીએ છીએ છતાં કેમ એની અસર રહેતી નથી ? આ ફરિયાદ વ્યાપક છે. એટલા માટે કે રાગે કરીને નિર્ણય કર્યો છે અને જ્ઞાન કરીને નિર્ણય કર્યો નથી. આ એનો જવાબ છે.
મુમુક્ષુ:- બેમાંથી એક નિર્ણય કરીને
પૂજ્ય ભાઈશ્રી - એ તો વિચારવું છે. Agenda ઉપર વિષય ચાલ્યો છે. રાત્રે કિરીને એટલે રાગરસથી, રાગમાં હુંપણું રાખીને, હુંપણું આવે ત્યાં મુખ્યતા અને પ્રધાનતા આવે, એવો જે નિર્ણય છે એ નિર્ણય ગમે તેટલો સમીચીન દેખાતો હોય, સાચો દેખાતો હોય. યોગ્ય યથાર્થ દેખાતો હોય તોપણ એ નિર્ણયમાં તાકાત નથી. કેમકે રાગ પોતે વિકાર છે અને વિકારના બળે અવિકારી સ્થિતિમાં આવી શકાતું નથી. વિકારના બળે અવિકાર બળ આવતું નથી, એ પરિણામબળ રહેતું નથી.
જ્ઞાને કરીને આત્મામાં જે ઉત્પન થયેલો નિશ્ચય છે એ બદલાતો નથી. કેમ કે આત્મા ધ્રુવ છે અને આત્મામાં હુંપણું કરીને જ્ઞાનના આધારે, જ્ઞાનક્રિયાના આધારે (નિર્ણય કર્યો છે). સંવર (અધિકારમાં) એ વાત કરી છે. “સમયસારના સંવર અધિકારમાં એ વાત કરી છે, કે જ્ઞાનક્રિયાના આધારે જ્ઞાન છે. ક્રોધમાં જ્ઞાન નથી. “ઉપયોગ છે ઉપયોગમાં, નહિ ઉપયોગ ક્રોધાદિમાં.” છે એક ... ભગવાન કુંદકુંદાચાર્યદેવ સંવર અધિકારનો પ્રારંભ આ રીતે કરે છે. એમાં આ જ વાત છે કે