________________
૨૬
ચજહૃદય ભાગ-૧૧ અસંગરસ છૂટતો નથી. એમ કહેવું છે. એ જ રસના પ્રવાહમાં પરિણામનું રહેવું થાય છે.
પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલો પ્રતિબંધ પૂર્વકૃત છે.” અત્યારે તો છૂટવું-છૂટવું થાય છે. અત્યારે રસ નથી. પૂર્વે કરેલા કર્મનો પ્રતિબંધ છે. એટલે એ રીતે અસંગ ભાવના હોવા છતાં પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધના પ્રતિબંધમાં રહેવું પડે છે. આત્માની ઇચ્છાનો પ્રતિબંધ નથી. મારી ઇચ્છાએ રહ્યો નથી એમ કહે છે. ઇચ્છાએ કરીને પ્રવૃત્તિ કરું છું, ઇચ્છાએ કરીને રહું છું એ અત્યારે પરિણામને જોતા દેખાતું નથી.
સર્વસામાન્ય લોકવ્યવહારની નિવૃત્તિ સંબંધી પ્રસંગનો વિચાર બીજે પ્રસંગે જણાવવો રાખી,” હવે એ વાત બીજા પ્રસંગે તમને જણાવવી રાખીને હાલ તો આ ક્ષેત્રેથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે. મુંબઈથી તો એકવાર છૂટી જાવું છે. આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરવામાં હવે રોકાવું નથી. તે પણ ઉદય આગળ બનતું નથી.” આ સેકન્ડે, આ મિનિટે તો ઉદય આગળ એ બનતું નથી. તોપણ અહોનિશ એ જ ચિંતન રહે છે...રાત્રિ-દિવસ એ જ વિચાર આવ્યા કરે છે કે અહીંથી કેમ છૂટવું... અહીંથી કેમ છૂટવું. અહીંથી કેમ છૂટવું?
તો તે વખતે થોડા કાળમાં બનશે એમ રહે છે. આવું ચિંતવન રહ્યા કરે છે તો કદાચ હવે મારી ભાવના છે તો થોડા કાળે પણ આનો નિવેડો આવશે. આ ક્ષેત્ર પ્રત્યે કિઈ દ્વેષ પરિણામ નથી....... મુંબઈના ક્ષેત્ર પ્રત્યે મને કોઈ દ્વેષ નથી. તથાપિ સંગનું વિશેષ કારણ છે. અહીંયાં જે સંગ છે એ કારણને લઈને હું અહીંથી દૂર થવા માગુ છું. ક્ષેત્રની સાથે મને બહુ વાંધો નથી. પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી અહીંયાં જો પ્રવૃત્તિ ન હોય તો નિવૃત્તિપણે આત્માને “મુંબઈમાં રહેવાનું કોઈ લાભનું કારણ નથી એમ જાણીને “આ ક્ષેત્રથી નિવર્તવાનો વિચાર રહે છે. કે કોઈ નિવૃત્તિક્ષેત્રે રહેવું.
પ્રવૃત્તિ પણ નિજબુદ્ધિથી પ્રયોજનભૂત કોઈ પણ પ્રકારે લાગતી નથી....... અને આ જે ચાલતી પ્રવૃત્તિ છે એ મારી બુદ્ધિથી તો મને કોઈ પણ પ્રકારે પ્રયોજનભૂત લાગતી નથી. ઠીક ! વેપાર પ્રયોજનભૂત નથી લાગતો. એમને હવે કામની ચીજ નથી લાગતી. ઘણો વેપાર કરે છે, બહુ સારો વેપાર ચાલે છે, મોટું Group મળી ગયું છે, દેશપરદેશના વેપાર ખેડે છે. સરવાળો એ માર્યો કે મને આ પ્રયોજનભૂત લાગતું નથી. મારે છૂટવું છે.
તથાપિ ઉદય પ્રમાણે વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ અંગીકાર કરી. ઉદય પ્રમાણે