________________
પ્રકરણ પહેલું
ધનશેખર આનંદપુર અને એના અધિપતિ:
આ મનુષ્યલોકમાં આનંદના ધામ જેવું આનંદપુર નામનું વિશાળ નગર હતું. દેવલોકની અમરાવતી કરતાં ચડીયાતું હતું. જે મનુષ્યની આંખે પલકારા ન મારતી હોય તે આ નગરીને જ અમરાવતી માનવા લલચામણ થઈ જાત.
આનંદ, ઉલ્લાસ, વિલાસ, લાવણ્ય, તેજ અને મદભરી સૌરભથી ખરેખર સૌને આ નગર આનંદ આપતું હતું તેથી સાર્થક નામ આનંદપુર હતું.
આનંદપુરના આવામાં જળહળતા મણિ–માણેક મતી જડવામાં આવેલા અને એ મણિ-માણેક મતીના ચળકતા પ્રકાશમાં રાત્રે પણ અંધકાર ફરકી શકતા ન હતા. મણિ– માણેકની દીપમાળાની જ્યોતિ સદાય ઝગમગતી રહેતી.
આનંદપુરના અધિપતિ શ્રી “કેશરી” મહારાજા હતા. દન્ત શત્રુરૂપી હાથીઓના ગંડસ્થલ ભેદી નાખવામાં સિંહ