________________
અનુસુંદરનું ઉત્થાન
૩૦૯
ભાના નેહના તંતુએ હજુ ચાલ્યા આવતા હતાં. આજ સુધી એ તૂટ્યાં ન હતાં. એમાં દીક્ષાની પહેલી રાત્રે જ કાળધર્મનો બનાવ બન્યું એટલે સુલલિતાને ઘણે જ આઘાત થયો હતે. એને અપાર મને વ્યથા થતી હતી. શાત્વના :
શેકગ્રસ્ત સુલલિતા સાધ્વીજીને ઉદેશી આચાર્ય ભગવંતે જણાવ્યું, આયે ! મહાભાગ શ્રી અનુસુંદરની પાછળ શેક કર યોગ્ય નથી. એ વ્યક્તિ શેક કરવા એગ્ય નથી. એક દિવસના ટુંકા ગાળામાં એ રાજર્ષિએ આત્મહિત ઘણું જ સાધી લીધું છે. સ્વપ્રયજન સિદ્ધ થઈ ગયું છે.
એ પાપ કરીને નરકે ગયા હતા તે શેક કરીએ તે બરોબર, પણ એવું નથી બન્યું. એ મહાભાગે પોતાના ઘણા જ પાપને ઘેઈ નાખ્યા છે. હાલમાં એ સર્વાર્થસિદ્ધ વિમાનમાં બીરાજે છે. શું એ શેક કરવા ગ્ય ગણાય ?
વળી તેત્રીશ સાગરોપમના આયુષ્ય પછી એ પુણ્યપુરૂષ પુષ્કરાવત ક્ષેત્રના ભરતક્ષેત્રમાં અધ્યા નગરીના અધિપતિ ગન્ધારરાજા અને મહારાણું પવિનીના પુણ્યવાન પુત્ર થશે. એમનું “ અમૃતસાર” નામ રાખવામાં આવશે. શું એની પાછળ શેક કર ઠીક લાગે છે ?
એ મહાસંપત્તિશીલ બનશે. મનુષ્યલોકમાં પણ ઉત્તમ સુખને પામશે, યૌવનવયમાં “વિપુલાશય” આચાર્યના સમાન ગમમાં આવી દીક્ષા ગ્રહણ કરશે. મહાન તપ કરશે. સુતપસ્વી બનશે.