________________
૩૨૬
ઉપમિતિ કથા સારદ્વાર mm
આયાર્યદેવ શ્રી કનકપ્રભસૂરીશ્વરજીના શિષ્યરત્ન આચાર્ય દેવશ્રી બાલચંદ્રસૂરીશ્વરજી થયા છે. એ મહાન્ કવીન્દ્ર હતા. એમના પુણ્ય હસ્તદ્વારા જેમની પદવી થઈ છે એવા આચાર્યદેવશ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રંથનું વિશુદ્ધીકરણ કર્યું છે. એ વિનયના સાક્ષાત્ મૂર્તિ હતા. ૧૨ ક્ષતિ પરિમાર્જન :
બુદ્ધિમંદતાદિ કારણે આ ગ્રંથમાં શ્રી જિનેશ્વર પરમા ત્માની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તે આ લેખક બે હાથ જેડી જણાવે છે કે પૂજ્ય સાધુ ભગવંતે ! આપ મને એની જાણ કરશે. ૧૩ રચના કાળ :
વિક્રમ સંવત ૧૨૯૮ની શાલના કાર્તિક વદ છઠના દિવસે પુષ્યનક્ષત્રના વેગમાં આ ગ્રંથની રચના પૂર્ણ થઈ છે. ૧૪ ઉપસંહાર:
શ્રી સિદ્ધર્ષિગણીન્દ્ર ભવસમુદ્રમાં ભવ્યજીને તારવામાં અહ૬ વચને રૂપ કાષ્ઠસમૂહ દ્વારા “ઉપમિતિ ભવ પ્રપંચા કથા” રૂપ વિશાળ નૌકા બનાવી છે. એ કથા જ્યાં સુધી વિજયવંત છે ત્યાં સુધી એ મહાકથામાં રહેલાં સત્પદાર્થોના સમુહને ઉકેલવામાં–સમજાવવામાં સમર્થ એવી “ઉપમિતિ ભવપ્રપંચો કથા સારેદ્ધાર”ની કૃતિ એને અનુસરનારી નૌકા સમાન ગતિ કરે.
આ ગ્રંથના પ્રત્યક્ષરને ગણતા આ ગ્રંથનું પ્રમાણ પ૭૩૦ શ્લોકેનું થાય છે. ૩૨ અક્ષરને લેક ગણાય છે.