________________
પ્રકરણ પાંચમું
અનુસુંદરનું ઉત્થાન
સુલલિતા, મહાભદ્રા, સમંતભદ્ર અને પુંડરીક સમક્ષ અનુસુંદર ચક્રવર્તીએ ત્રણ પ્રહરમાં પિતાને ભવપ્રપંચ કહી સંભળાવ્યો. સુલલિતાની શંકાઓ દૂર કરી સંસારીજીવે છે કહેવાનું હતું એ અહીં પૂર્ણ થાય છે. સુલલિતાને આ વાત સાંભળી ભારે આશ્ચર્ય થઈ રહ્યું હતું. પુંડરીક કુમાર
ડું સમજવા લાગ્યો હતે. એણે ચારરૂપધારી અનુસુંદરને પૂછયું. ચિત્તવૃત્તિ:
આર્ય! આપના હૃદયમાં હાલમાં કયા ભાવે પ્રવર્તી રહ્યા છે? આપનું માનસિક વહેણ કઈ બાજુ છે?
ભદ્ર! ધ્યાનથી તું સાંભળઃ
મેં તમારી પાસે વિરાગ્યથી મારો હેવાલ રજુ કરવાને પ્રારંભ કર્યો, એ વખતે શ્રી ચારિત્રધર્મરાજને થયું કે હમણા અમારે અનુકૂળ સમય છે. એટલે એ રાજરાજેશ્વર સાહેબ પોતાના વિશાળ સૈન્યની સાથે મારા તરફ આવવા રવાના થયા.
રસ્તામાં સૌ પ્રથમ “સાત્વિકમાનસ” પુર આવ્યું. ચારિત્રધર્મરાજના મંગલ આગમનથી આ નગર આનંદમાં આવી ગયું. “વિવેક” પર્વતને નિર્મળ કરવામાં આવ્યા. “અપ્રમત્તત્વ” શિખર તેજસ્વી તિપુંજ જેવો નકદાર બનાવી