Book Title: Upmiti Saroddhar Part 03
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 347
________________ ૩૦૦ ઉપમિતિ કથા સારાદ્વાર સુલલિતાની દશા : અનુસુંદર ચક્રવર્તીની હૃદયગમ વાણીથી સુલલિતાનું હૈયું ભીંજાણુ... અને પુ...ડરીક, શ્રીગલ રાજા અને કમલિની મહારાણીને દીક્ષાના ભાવ જાગ્યાના પ્રસંગ જેઈ મુંઝવણમાં પડી ગઇ. અને શું કરવું, શું ન કરવું એ સમજાયું નહિ. હૈયામાં ખેદ થવા લાગ્યા. હાથ જોડી એ મહાભદ્રા તરફ ખેાલી, હે ભદ્રે ! હે પૂજ્ય ! મે એવા શા પાપા કર્યા છે કે હું આવી થઈ. ધન્ય છે આ કુમળા કુમાર પુ ́ડરીકને, કે જે માત્ર સ્વભાવિક અહીં બેઠા હતા. છતાં એને અસર થઇ બધા ભાવાર્થીને એ સમજી ગયે. સમજવામાં એને સમય પણ ન લાગ્યા. આ કથા સાક્ષાત્ મને કહેવામાં આવતી હતી. એ તે માત્ર કથાપ્રસંગ સમજી સાંભળવા બેઠા હતા. હું પશુ જેવી કાંઈ સમજતી નથી અને આ પુણ્યવંત કુમાર સમજી ગયા. હું પૂજ્યઆર્યા ! શા મારા પાપ મને નડી રહ્યા છે ? સાક્ષાત્ આ ભવપ્રપ’ચ મને કહેવામાં આવી રહ્યો છે છતાં એના ભાવાર્થ કેમ સમજાતા નથી ? હે મહાભાગ મહાભદ્રા ! આપ મને ભાવાર્થ નહિ સમજમાં આવવાના કારણેા જણાવા અથવા આપ સદાગમને પૂછી મને કારણ જણાવે. આ મને કન્યા ભવના પાપે નડી રહ્યા છે. એ પૂજ્યે! મને જલ્દી સમાધાન આપે. સુલલિતાના નયનમાંથી આંસુઓની ધારા વહી જતી જોઇ કરૂણાધન-અનુસુંદરે જણાવ્યું. હું સુલલિતે ! તને તારા પાપા જાણવાની ઈચ્છા થઈ હોય તે હું તને એ જણાવું. તું આદર પૂર્વક એ હકીકત સાંભળ.

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376