________________
અનુસુંદરનું ઉત્થાન
૩૦૧
તે મદનમંજરીના ભવમાં દીક્ષા ગ્રહણ કરી હતી. તારા ભાવ ઘણા સારા હતા. દીક્ષાની આરાધના તે વિધિપૂર્વક કરી હતી. પાલનમાં જરાય કચાસ રાખી ન હતી. ક્રિયા કરવામાં તું શિથિલ ન હતી.
પણ ત્યાં તેને એક દુબુદ્ધિ થઈ આવી. જે કરવાનું હોય તે કરે છે. આ બધે હેળો કરવાની શી જરૂર છે? ઝાઝી ઝંઝટ શા કામની ? આવા વિચારોના પરિણામે તને સ્વાધ્યાયને અવાજ ગમતું ન હતું. વાચના ગમતી ન હતી. કેઈ કાંઈ ધર્મ બાબતને પ્રશ્ન કરે, તે એ તને ગમતું ન હતું. અભ્યાસ ઉપર ઉગ હોવાથી તેને માન રાખવું ગમતું અને મસ્ત થઈ ઉંઘવાનું પ્રિય લાગતું.
જે કે તને મન કે નિદ્રાને તીવ્ર અભિનિવેશ યાને વધુ પડતે આગ્રહ ન હતું એટલું સારું હતું. જેથી તને જ્ઞાન અને જ્ઞાનીઓ ઉપર ષ ન જાગે અને એમની વિરોધી તું બની નહિ. તું ગુરૂની દ્વેષી પણ ન હતી.
પરિણામે તે નાની શ્રુત આશાતના કરવા દ્વારા જે કર્મ બાંધ્યું એનું આ પરિણામ છે. એ લઘુ આશાતનાના પ્રતાપે તું આટલે સમય સંસારમાં રખડી. અસંખ્ય કાળ તારે સંસારમાં ભમતાં ભમતાં ચાલ્યા ગયે. તું જે હાલમાં જડબુદ્ધિ બની છે તે પણ એ ભવની લઘુ કૃતઆશાતનાનું ફળ છે.
વળી તું મદનમંજરીના ભાવમાં પુરૂષપ્રેષિણી હતી. એ સંસ્કારે તને આજે પણ છે અને એના કારણે આ ભવમાં