________________
ઘનવાહન
૧૧૯
પ્રત્રજ્યા-દીક્ષા દ્વારા જુના કર્મોની નિર્જરા કરી, આ મુનીશ્વર સંસાર માશાલાની બહાર ચાલ્યા જશે.
હે ઘનવાહન! મુનિએ આ જાતના ગૂઢાર્થવાળું પિતાનું વૈરાગ્ય કારણ આપણને જણાવ્યું છે. આ બીના આપણા બનેમાં અનુભવ થતી જણાય છે. વિશ્વના વિવિધ પ્રાણીઓ પણ આને સ્વાનુભવ કરતા હોય છે.
બધુ ઘનવાહન ! આવી અપવિત્ર મઘશાળામાં આપણે રહેવું યેગ્ય લાગતું નથી.
અગૃહીતસંકેતા ! આ રીતે અકલંકે મને મઘશાળાની કરૂણ બીના વિસ્તારપૂર્વક કહી સંભળાવી પરન્તુ એને મને કાંઈ બોધ કે એની અસર કશું જ ન થઈ. હું તે મૌન રહ્યો. અમે ત્રીજા મુનિ પાસે પહોંચ્યા. અરઘટ્ટ યંત્ર: (તૃતીયમુનિ વૈરાગ્ય પ્રસંગો
મુનિ પાસે જઈ અમે વંદન કર્યું અને અકલંકે પૂછયું. મુનીશ્વર ! આપને વૈરાગ્ય થવાનું શું કારણ બન્યું?
મુનિએ ઉત્તર આપે, ભાઈ “અરઘટ્ટ યંત્ર” [ રંટ } જોઈ મને વિરાગ્ય થ છે.
અકલંકે પુનઃ પ્રશ્ન કર્યો, ગુરૂદેવ સવિસ્તાર સમજવશે? મુનિએ કહ્યું, ભાઈ! સાંભળે.
મેં પાણી કાઢવાને અરઘટ્ટ-રેટ જેયો, તે દિવસ અને રાત ચાલુ જ રહેતું. “ભવ” એ રંટનું નામ હતું.