________________
ચક્રવર્તી ચાર
- ભવિતવ્યતાએ મદનમંજરીને આ રાજા-રાણીની પુત્રી તરીકે જન્મ આપ્યો. એનું નામ “સુલલિતા” રાખવામાં આવ્યું.
સુલલિતા લલિતયૌવનમાં આવી પહોંચી. લગ્નની વય થઈ ગઈ છતાં એ પરણતી ન હતી. પુરૂષમાત્ર પ્રતિ એને' નફરત હતી. સુગ્ય વયે લગ્ન નહિ કરવાના કારણે એના માતપિતાને ઘણે ખેદ થયે હતે.
રતનપુરમાં મહાભદ્રા સાધ્વીજી પધાર્યા છે એ શુભ સમાચાર રાજા-રાણીને પણ મળ્યા. પોતાની પુત્રી સુલલિતાને સાથે લઈ રાજા-રાણ હર્ષોલ્લાસ પૂર્વક મહાભદ્રા સાધ્વીજીને વંદન કરવા ગયા.
વંદન કરીને સૌ એમની સન્મુખ યોગ્ય સ્થળે બેઠા. સાધ્વીજી શ્રી મહાભદ્રાએ રાજા-રાણી અને સુલલિતાને ઉદેશી ધર્મદેશના આપી. દેશના મધુર, આકર્ષક અને કલ્યાણકર હતી.
સાધ્વીજી મહાભદ્રાની દેશના ઘણી સરલ સ્પષ્ટ અને હળવી હતી, છતાં સુલલિતા એના ભાવાર્થને સમજી શકતી ન હતી. એ ભેળી અને સરળ હતી. પૂર્વભવના નેહરાગના કારણે એને સાધ્વીજી મહાભદ્રા ઉપર નેહ થયે.૧
૧ મહાભદ્રા એ કંદમુનિને જીવ છે. સુલલિતા એ મદનમંજરીને જીવ છે. મદનમંજરી જ્યારે ગુણધારણની પત્ની હતી ત્યારે એમના ધર્મોપદેશક કંદમુનિ હતા તેથી એ ભવમાં સ્નેહ હતે. તે સંસ્કારે તાજા થયા છે.