________________
૧૫૪
ઉપમિતિ કથા સારોદ્ધાર mmmmmmmmmmmmmmmmm છ લશ્યાનું સ્વરૂપ:
મુનિ- ભદ્ર! ગુરૂદેવે એના ઉપાયે જણાવ્યા છે. તે આ પ્રમાણે છે. “કાયા” એારડાના “અધ્યવસાય” નામનાં ગર્ભગૃહમાં ઉત્પન્ન થાય છે, એમાં જ મેટી થાય છે અને એ સ્થળની જ વૃદ્ધિ કરે છે. કૃષ્ણ, નીલા, કાપતા એ ત્રણ સ્ત્રીઓ ક્રૂરતમ, કૂતર અને ક્રૂર છે. અર્થાત્ ઘણી વધુ પડતી કૂર છે. એ અનર્થોનું કારણ છે. અને ચિત્ત વાનરબચ્ચાની દુમને છે. ગર્ભગૃહમાં અનેકગણે કચરે વધારનારી છે. શિવાલય મઠની વિરોધી છે. અને સંસારબજારના માર્ગમાં લઈ જવા પ્રેરણા આપ્યા કરવાના દુષ્ટ સ્વભાવ વળી છે.
બીજી ત્રણ લેશ્યા તેજે, પડ્યા અને શુક્લા નામની છે શુદ્ધ શુદ્ધતર અને શુદ્ધતમ છે. અર્થાત એક કરતાં બીજી સારી અને બીજા કરતાં ત્રીજી સારી. એમ એક એક કરતાં એક ચડીયાતી છે. શિવાલય મઠને માર્ગ બતાવી જીવના કલ્યાણમાં સહગ આપનારી છે. સંસાર બજારના માર્ગની વિધિની છે. વાનર બચ્ચા માટે લાભદાયી છે. દાદ અને પગથીયાં: - લેશ્યા નામની છએ સ્ત્રીઓએ ગર્ભગૃહમાં ઉપર ચડવા માટે પિતાની શક્તિથી એક દાદરે બનાવ્યું છે. એ દાદરાનું
પરિણામ” નામ રાખવામાં આવ્યું છે. એ દાદરામાં અસંખ્ય પગથીયાં ગોઠવવામાં આવ્યા છે. એ પગથીયાને “અધ્યવસાય સ્થાન” નામ આપવામાં આવેલું છે. દરેક સ્ત્રીઓએ પિતાના નામના જુદા જુદા પગથીયા બનાવેલાં છે. એ પગ