________________
ઉપમિતિ કથા સારાહાર
૨૬
w
કર્યાં. એ નિમિત્તશાસ્ત્રના વિચાર કર્યાં. મને એના દ્વારા જાણુવામાં આવ્યું કે કુમારી હિરકુમાર ઉપર રાગવતી બની ગઈ છે. એનું હૃદય હરિકુમાર હરી ગયા છે.
મેં મહારાણીને જણાવ્યું: મહારાણી ! આપની આ વહાલી પુત્રી પ્રાણુસખા રાજપુત્ર શ્રી હરિકુમારનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરી રહી છે. કુંવરીનું મન કુમારમાં સ્થિર બન્યું છે.
મહારાણીએ કહ્યું: દેવી ! આપની વાત મળતી આવે છે. આપનું વચન સત્ય જણાય છે. કારણ કે મયૂરમંજરીએ હરિકુમારને લીલાસુંદર ” ઉદ્યાન તરફ જતાં જોયા છે અને ત્યારથી જ કુવરીની આ પરિસ્થિતિ થઈ છે.
આપ આ પરિસ્થિતિના ઉકેલ લાવા. આપના પ્રતાપે જ અમે નચિંત મનીશું. આપ પ્રમાણભૂત છે.
મેં મયૂરમંજરીનું ચિત્રપટ તૈયાર કર્યું.. હુમડું એના જેવા અંગપ્રત્યગા ચિતર્યો. એ પ્રતિકૃતિ લઇ હું કુમાર હરિ પાસે આવી. એ પ્રતિકૃતિ એમના હાથમાં મુકી. પ્રતિકૃતિને જોઈ હરિકુમારને મયૂરમંજરી ઉપર અનુરાગ થયા. એ મનેભાવ મુખાકૃતિ ઉપરથી હું સમજી ગઈ. મહારાણી પાસે આવી મે' જણાવ્યું. દેવી ! હરિકુમાર કુંવરીનું ચિત્રપટ જોતાં જ સ્નેહાધીન બની ગયા છે.
મહારાણીએ નીલકંઠ મહારાજાને એ વાત જણાવી. બન્નેએ હૃદયમાં વિચાર કર્યો, હરિકુમાર મયૂરમંજરી માટે ઘણા સુયેાગ્ય છે. રૂપ, વય, જ્ઞાન વિગેરે અનેના ઘણા મેળવાળા છે. આ બન્નેનું જીવન સુંદર જશે. આવા નિણ ય કર્યાં.