________________
૭૬ અને મૂળનાયક ભગવાન? આપણા શાસનના ચરમ તીર્થ પતિઆપણા આસન ઉપકારીત્રણ જગતના નાથ દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ.
એમની દિવ્ય છતાં ભવ્યતમ-૪૫ ઇંચ ઊંચી સપરિકર પ્રતિમા પુરથી તૈયાર થઈને આવી ગઈ હતી. એનું દિવ્ય અને પ્રસન્ન મુખમંડળ-જાણે શરદ પૂનમને ચંદ્ર જ જોઈ લ્યો. અને એની પાસે વ્યાપેલું દિવ્ય તેજ જાણે એ ચંદ્રની સ્ના.
ભાવુક છે તે નિરખતાં જ નહોતા ધરાતાજાણે અમૃતાસ્વાદને અનુપમ આહલાદ અનુભવી રહ્યા હેય. આવા કદંબગિરિ તીર્થને નમન હો.
શાસનસામ્રાચ્છીને ઉપદેશ હમેશાં પ્રાણીમાત્રને સુખની જ ચાહના હોય છે, મંગળની જ કામના હોય છે. કેઈને દુઃખની જરૂર નથી, કેઈને દુઃખ ગમતું પણ નથી.
પણ સાચું સુખ કયું ?
કેઈએ લક્ષ્મીમાં સુખ માન્યું, કેઈએ વાડીબંગલામાં સુખ માન્યું, કોઈએ વળી સ્ત્રીમાં સુખ માની લીધું અને કેઈએ પુત્રાદિ પરિવારમાં જ સુખ માની લીધું. સૌએ પિતાને ગમતી ચીજને સુખ તરીકે માની.