________________
૨૯૨
તપોરત રત્નાકર
પચ્ચીશ અધ્યયના છે. પદ્મ સંખ્યા ૧૮૦૦૦ અઢાર હજાર છે. પદ્મના પ્રમાણ સંબંધી મતમતાંતર પ્રત્રતે છે. સેનપ્રશ્નમાં ત્રીજા ઉલ્લાસના ૮૨ મા પ્રશ્નોત્તરમાં શ્રીવિજયસેનસૂરિ મહારાજે જણાવેલ છે કે-૫૧૦૮૮૪૬૨૧૫ શ્ર્લોકનુ એક પદ થાય. શ્રી ક ગ્રન્થવૃત્તિ તેમજ શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં ૫૧૦૮૮૬૮૪૦ શ્લોક તેમજ ૨૮ અક્ષરપ્રમાણને એક પદ-પ્રમાણ જણાવેલ છે.
૨. સૂત્રકૃતાંગ-જીવાદિક અનેક વિચારાનું વર્ણન છે. અધ્યયન ત્રેવીશ છે. પદ્મ પહેલાં સૂત્ર કરતાં ખમણી એટલે ૩૬૦૦૦ હજાર છે.
સૂત્રકૃતાંગના ગારમાં અધ્યયનમાં ૩૬૩ પાખડીએનું વર્ણન છે તેના પ્રકારો આ પ્રમાણે સમજવા. ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી, ૩૨ વિનયવાદી.
ક્રિયાવાદીના ૧૮૦ ભેદ આ પ્રમાણે-જીવાદિ નવ પદાર્થને સ્વતઃ પરતઃ એ ભેદે ગુણતાં ૧૮, તેને નિત્ય અને અનિત્ય એ ભેદે ગુણતાં ૩૬, તેને કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મા એ પાંચ ભેદે ગુણતાં ૧૮૦ભેદ થયા.
અક્રિયાવાદના ૮૪ ભેદ-જીવાઢિ સાત પદાર્થને સ્વત: ને પરતઃ એ ભેદે ગુણતાં ૧૪ ભેદ થયા. તેને કાળ, ચદૃચ્છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા એ છ પ્રકારે ગુણતાં ૮૪ ભેદ થયા.