Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 466
________________ શિવકુમારના એલેા તપ યશોભદ્ર શેઠ મરણપથારીએ પડયા ત્યારે તેણે શિવકુમારને પેાતાની પાસે લાવી છેલ્લી હિતશિખામણ આપી કે જ્યારે અચાનક અકસ્માત કે આતાનુ કારણ ઉપસ્થિત થાય ત્યારે તારે નવકાર મડામંત્રનું સ્મરણ કરવું, શિવકુમારે તે શિખામણ સ્વીકારી ને પિતાએ પ્રાણ છેડયા. ૩૭૩ પિતાના મૃત્યુ પછી શિત્રકુમાર ધીરે ધીરે તદ્ન નિન થઈ ગયા. જીવનનિર્વાહુ પણ કેવી રીતે ચલાવવા તેની પણ તેને ચિંતા થવા લાગી. તેવામાં તેને એક કાપાલિકના મેળાપ થઈ ગયા. કાપાલિક મ`ત્રપ્રયાગથી “સુવર્ણના પુરુષ” સિદ્ધ કરવા માગને હુતા અને તે માટે તેને ખત્રીશલક્ષણા ઉત્તરસાધક પુરુષની જરૂર હતી. શિવકુમારમાં તેને સ લક્ષણૢા દેખાયા એટલે તેને લાલચ આપી પેાતાની સાથે શ્મશાન ભૂમિમાં લઈ ગયા. તે સ્થળે એકાંતમાં યજ્ઞકુંડ બનાવ્યેા. કાપાલિક એક શખ પણ લઇ આવ્યે અને તેના હાથમાં તલવાર આપી મંત્રજાપ શરૂ કર્યાં. આ બધું દૃશ્ય ખેતાં જ શિવકુમારને ખ્યાલ આવ્યે કે—આ મરણભય ઉપસ્થિત થયેા જણાય છે. આફત સમયે નવકાર–મંત્રનુ' સ્મરણ કરવાની પિતાની હિત–શિખામણુ તેને યાદ આવી. તેણે એક ચિત્તથી નવકાર-મડામ ત્રના જાપ શરૂ કર્યાં. તે મંત્રના જાપના પ્રભાવના કારણે કાપાલિકના મ`ત્રના જાપથી ઊભું થતું શબ પાછું પડવા લાગ્યું. એટલે કાપાલિકે શિવકુમારને પ્રશ્ન કર્યાં કે તું કંઈ પણ મંત્રજાપ કરે છે?

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494