Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 460
________________ શત્રુંજયમાદક તપ ૩૬૭ ૧૩૮. છમાસી તપ. * [જ. પ્ર. વિગેરે ] શ્રી મહાવીરસ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસી (ઉપવાસ ૧૮૦) તપ છે. તેથી તેને આશ્રયીને એકસો એંશી ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. ઉદ્યાપને ૧૮૦ લાડુ, ફળ વિગેરે પ્રભુ પાસે ઢાકવાં. “હી શ્રી મહાવીરસ્વામીનાથાય નમઃ” એ પદનું ગરણું નવકારવાળી વીશનું ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા. એકાંતરા ઉપવાસ છ માસ સુધી કરવા. તેમાં ચઉદશે ખવાય નહીં. માસીને છઠ્ઠ કરવો. શરૂ કરતાં છટ્ર તેમજ પારણું પણ છ થાય છે. (આ છમાસી તપમાં ઉપવાસ ૯૦ થાય છે.) ૧૩૯ શત્રુંજયદક તપ. (જ. પ્ર. વિગેરે) આ તપમાં પહેલે દિવસે પુરિમઠુ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે નવી, ચેાથે દિવસે આયંબિલ, પાંચમે દિવસે ઉપવાસ કરે. ઉદ્યાપને પાંચ માણાના મેદક તથા પાંચ રૂપિયા દેવ પાસે ઢાંકવા. જ્ઞાનની પૂજા રૂપાનાણુથી કરવી. “ હીર શ્રી શત્રુંજયતીર્થાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે એકવીશ કરવા. *આ ૧૮૦ ઉપવાસ પારણાવાળા શક્તિને અભાવે કહ્યા છે, નહીં તો આશરે ૩૦૦ વર્ષ અગાઉ દિલ્હીપતિના દિવાનનાં ફઈબા(ચંપાબા)એ લાગઠ ૧૮૦ ઉપવાસ પાદશાહ સમક્ષ કરેલ છે એવો લેખ છે.

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494