________________
જ્ઞાનપંચમી તપ
શ્રી દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યાયમાં જણાવ્યું છે કે– નાં ૩ યા” પ્રથમ જ્ઞાન અને પછી દયા (અડિંસા ). જ્ઞાનની મહત્તા માટે આટલું ટૂંકું જ વાકય પર્યાપ્ત છે.
પૂજ્યશ્રી તીર્થકર ભગવંતે પ્રરૂપેલ ભાવોને શ્રી ગણધર મમ્હારાજાઓએ ગુંથેલ દ્વાદશાંગીને “ જ્ઞાન” કહી શકાય.
જ્ઞાન એ આત્માનો અદ્વિતીય ગુણ છે. સર્વ કર્મને નાશ કરી આત્મા જ્યારે સિદ્ધિસ્થાનમાં બિરાજે છે ત્યારે પણ જ્ઞાન ગુણ આત્માની સાથે જ રહે છે. ભયંકર ભવરૂપી સંસાર-સાગરને પાર કરવા માટે જ્ઞાન અતિ ઉપયોગી નીકા સમાન છે.
જ્ઞાની પુરુષેએ જ્ઞાનની અત્યંત મહત્તા સ્થળે સ્થળે ગાઈ છે, જે પૈકી કિ ચિત્ ઉલ્લેખ આપણે જોઈએ.
a vs યાર્ન, વિદ્યાવાનું તતઃ પરમ્ | अन्नेन क्षणिका तृप्तिः, यावज्जीवं तु विद्यया ॥
અન્નદાન એ ઉત્તમ દાન છે પરંતુ વિદ્યાદાન તેનાથી પણ શ્રેષ્ઠ છે, કારણ કે અનાથી ક્ષણિક તૃપ્તિ થાય છે પર વિવાથી તે જીવનપર્યન્ત સંતેષ મળે છે. न चौरहार्य न च राजहार्य, न भ्रातृभाज्यं न च भारकारि । व्यये कृते वर्धत एव नित्ये, विद्याधनम् सर्वधनप्रधानम् ॥